Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 કલાક દરમિયાન રાજ્યનાં 225 તાલુકામાં વરસાદ, વાપીમાં 11.5 ઇંચ

Webdunia
ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2019 (12:05 IST)
ગુજરાતમાં વિરામ બાદ ફરીવાર મેઘરાજાએ બેટીંગ શરુ કરી દીધી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની મહેર થઈ છે. વરસાદ આવવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે તો બીજી બાજુ લોકો તંત્રના અણઘડ વહીવટના કારણે પરેશાન થતાં જોવા મળ્યાં છે. ત્યારે વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ફરીવાર ધમાકેદાર વરસાદ વરસ્યો છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યનાં 225 તાલુકામાં 1થી 11.5 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં મેઘરાજાએ 24 કલાક દરમિયાન ફરી એક વાર બેટિંગ કરી હતી. વલસાડના વાપી શહેરમાં ગત રાત્રીના ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાપી શહેરમાં 11.5 ઇંચ વરસતાં ઠેર ઠેર પાણી ભરાયાં હતા. 24 કલાક દરમિયાન વલસાડના કિલ્લા પારડીમાં 10 ઇંચ વરસાદ વરસ્યો જ્યારે ઉમરગામમાં 6.5 ઇંચ, ગણદેવીમાં 6.5 ઇંચ, વલસાડ શહેરમાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો હતો.
વલસાડ જિલ્લામાં ચાલૂ વર્ષે 100 ટકાને આંબી ગયેલા વરસાદના કારણે ખેડૂતો હાલ તો ચિંતા મુક્ત છે. વાપીમાં 11.4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગઈકાલથી વલસાડ જિલ્લામાં ધરમપુર, કપરાડા, ઉમરગામ, પારડી, વલસાડ, વાપી તાલુકાઓમાં આકાશમાં વાદળો છવાઇ જતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ તાલુકામાં ઓમાં રાત્રિ દરમિયાન ખાસ કરીને વધુ પ્રમાણમં વરસાદ નોંધાયો હતો.  હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 

રાજુલા પંથકમાં સતત મેઘરાજા મહેરબાન બન્યા હોય તેમ આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજુલાના નવા આગરીયા, મોટા આગરીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડતા સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા હતા. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે અમરેલી જિલ્લા કલેક્ટરે 11 તાલુકા મથકો પર મામલતદાર, ટીડીઓ અને ચીફ ઓફિસરને સ્ટેન્ડ ટુ રહેવા લેખિતમાં સુચના આપી છે. જિલ્લા કંટ્રોલ રૂમ સાથે સંકલનમાં રહેવાની પણ સૂચના આપી છે. 
આ વરસાદનું જોર ખત્રી તળાવ સુધી વધુ જોવા મળ્યું હતું. વરસાદનું જોર એટલું હતું કે ભુજ-માંડવી રોડ પર આવેલ ખત્રીતળાવ પાસેનો માર્ગ જળમગ્ન બની ગયો હતો. વર્તમાન ચોમાસાની સિઝનમાં બુધવારનો વરસાદ સૌથી વધુ હોવાનું જાણવા મળ્યું હતું.  નારાયણસરોવર, કપુરાશીમાં સવારે 7થી 10 વાગ્યા સુધી એકધારો ભારે ઝાપટાંરૂપી વરસાદ વરસતાં સરેરાશ દોઢેક ઇંચ જેટલો વરસાદ વરસી પડયો હતો. આ વરસાદથી પવીત્ર સરોવરમાં નવું એકાદ ફુટ પાણી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

Animal Viral Video: ચમત્કારી ગાય! દુકાન માલિકએ જણાવ્યુ કેવી રીતે ગૌ માતાની કૃપા વરસે છે

પીએમ મોદી ગુજરાતમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થી સાથે કરી વાત, તમે પણ જાણી લો આ યોજનાનો લાભ લેવા શુ કરવુ ?

આગળનો લેખ
Show comments