Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો, ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ એટલે શું ?

Webdunia
રવિવાર, 5 જાન્યુઆરી 2020 (11:57 IST)
ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ એ સુભાષ પાલેકરના કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકો આપવાનો, બહારની ખેતસામગ્રી વગર ખેત ઉપાદન કરવાના સિધ્ધાત-સામગ્રી વગર ખેત ઉત્પાદન કરવાના સિધ્ધાંતને આધારિત છે. આ પધ્ધતિ એક કરતા વધારે પાકોના વાવેતર કે જેના ટૂંકા ગાળાના આંતર પાકોના વાવેતરથી જે ઉત્પાદન મળે તેમાથી ત્યાર પછીના બીજા વર્ષના મુખ્ય પાકનુ ખેતી ખર્ચ નિકળી શકે જે ગણતરીને આખી ખેતી પધ્ધતિ-ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ તરીકે ઓળખાય છે. આ પધ્ધતિના જીવામૃત, બીજામૃત, આચ્છદન અને વાપશા એમ મુખ્ય ચાર આધારસ્તંભો છે. 
 
(૧) જીવામૃત : જીવામૃત છોડનો ખોરાક નથી પરંતુ તે કોટી સુક્ષ્મ જીવોનો મહાસાગર છે. તે જમીનમાં જે ખાધ તત્વ છોડના મુળને ઉપલબ્ધ સ્થિતિમાં નથી તેને ઉપલબ્ધ સ્થિતિમાં કરાવે છે. જીવામૃત બનાવવા દેશી ગાયનું છાણ, મુત્ર, ગોળ, કઠોળનો લોટ, સજીવ માટી અને પાણીથી બને છે અને તે જમીનમાં નાખતાં જ અસંખ્ય સુક્ષ્મ જીવોને જીવંત કરીને કામે લગાડે છે. 
 
(૨) બીજામૃત: ગાયના છાણ અને મુત્ર દ્વારા બિયારણને પટ આપવાની પદ્ધતિ 
 
(૩) આચ્છાદન : આચ્છદન એટલ કે જમીન ઉપર કે ઘાસ/વનસ્પતિનું આવરણ કરવાને આચ્છાદન કહેવામાં આવે છે. આચ્છાદનથી જમીનનું તાપમાન વધતું નથી અને ભેજ જમીનમાં સંગ્રહ થાય છે. આચ્છદન ત્રણ પ્રકારના હોય છે. 
 
(૪) વાપશા : વાપશા એટલે જમીનમાં હવાની અવર જવર. જીવામૃત અને આચ્છદનથી જમીનની વાપશાની સ્થિતિ સુધરે છે. આમ ચાર મુખ્ય પાયા પર આધારિત છે, જેમાં મુખ્ય સિધ્ધાતોમાં બહારની કોઇ ખેત સામગ્રી વાપરવી નહિ, સ્થાનિક બીજનો ઉપયોગ કરવો, સુક્ષ્મ જીવાણુથી બીજની માવજત કરવી, જમીનમા સુક્ષ્મ જીવાણુના કચ્છરનો ઉપયોગ કરવો, પાકના અવશેષોનો મલ્ચીંગ કરીને જમીનની સુક્ષ્મ જીવાણુઓની પ્રવૃતિ વધારવી, મિશ્ર પાક પદ્ધતિનો ઉપયોગ કરવો, ખેતરમા ઝાડનો સમાવેશ કરવો, પશુપાલન સાથે ખેતીને આવરી લઈ જમીનની પાણી/ભેજનો સંગ્રહ કરવો અને એગ્રો ઇકોલોજી (કૃષિ નિયત્રણ તંત્ર) ખેતીની નવી પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

શરીરમાં ક્યાં જમા થાય છે યુરિક એસિડ, જાણો કયા સ્તરે પર પહોચતા નિયંત્રિત કરવું બની જાય છે મુશ્કેલ

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

વધુ જુઓ..

નવીનતમ

Corona : બિગ બોસ ફેમ શિલ્પા શિરોડકરનો કોરોના પોઝિટિવ, સિંગાપોર-હોંગકોંગ પછી, શું ભારતમાં પણ ફેલાઈ રહ્યુ છે સંક્રમણ ?

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

આગળનો લેખ
Show comments