Webdunia - Bharat's app for daily news and videos

Install App

જામનગર અને લાલપુરમાં કમોસમી વરસાદી ઝાપટાં, ખેડૂતોને રવિપાકમાં નુકસાન થવાનો ડર

Webdunia
બુધવાર, 11 માર્ચ 2020 (12:36 IST)
વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાવવાની સાથે અપરએર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા તારીખ 11 અને 12મી તારીખે કમોસમી વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. ત્યારે આજે વહેલી સવારે જામનગર અને લાલપુરમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. જેના કારણે શહેરનાં રસ્તા અને ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. હાલ રવિપાક લણવાનો સમય નજીક છે ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસનાં વિસ્તારો પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાની સાથે અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ફરીથી સક્રિય થઈ છે. વધુમાં ઉત્તર પૂર્વના પવનની અસર હેઠળ રાજ્યમાં બે દિવસ 11 અને 12 માર્ચે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.જામનગર અને લાલપુર વિસ્તારની આસપાસ ખેડૂતોની ચણા અને જીરાના પાકની ખેતરમાં છે. આ રવિપાકને લણવાનો સમય પણ નજીક આવી ગયો છે. ત્યારે આવા કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વધી ગઇ છે.કમોસમી વરસાદ અંગે હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલી બન્ને સિસ્ટમની અસર હેઠળ 11 માર્ચે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા તેમજ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ કચ્છ વિસ્તારમાં જ્યારે 12 માર્ચે બનાસકાંઠા ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર, દ્વારકા અને કચ્છ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. ત્યારબાદ વાતાવરણ સૂકું રહેશે.હવામાને આગાહી કરતા કહ્યું હતું કે, આ સમય દરમિયાન રાતનાં સમયે લઘુતમ તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય પરંતુ દિવસના મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments