Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજયમાં સરેરાશ ૮૬ ટકા વરસાદ : ૪૦ જળાશયો છલકાયા

Webdunia
શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (18:15 IST)
ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૧૬ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૮૬ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૨ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૪૦ જળાશયો છલકાયા છે. ૩૪ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૨૮ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૭૯.૦૧ ટકા ભરાયું છે. અત્યાર સુધીમાં રાજયના કચ્છ અને દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ ૧૦૦ ટકા વરસાદ થયો છે.  
રાજ્યમાં હાલમાં ૫,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૧,૦૨,૪૧૦, કડાણામાં ૧,૬૦,૨૯૪, વણાકબોરીમાં ૧,૦૦,૧૯૮ ઉકાઇમાં ૫૫,૨૦૫ , ધરોઇમાં ૧૨,૫૦૦ દમણગંગામાં ૯,૯૫૪, કરજણમાં ૫,૯૨૦ ક્યુસેકનો સમાવેશ થાય છે. 
ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૧.૨૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૮૮.૫૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૭.૩૭ ટકા,  કચ્છના ૨૦ જળાશયોમાં ૫૭.૭૦ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૫૧.૦૧ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૬૭.૫૩ ટકા એટલે ૩,૭૫,૯૩૧ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

15 કલાક બાદ બોરવેલમાંથી બાળકી સુરક્ષિત બહાર આવી, રેસ્ક્યુ ટીમે ટનલ બનાવીને તેનો જીવ બચાવ્યો

આગળનો લેખ
Show comments