Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજયમાં સરેરાશ ૬૬.૪૪ ટકાથી વધુ વરસાદ : ૯ જળાશયો છલકાયા

Webdunia
શુક્રવાર, 9 ઑગસ્ટ 2019 (12:21 IST)
અમદાવાદ: ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૫ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૬૧.૫૫ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૪૧ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૯ જળાશયો છલકાયા છે. ૭ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૬ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૬૩.૮૭ ટકા ભરાયું છે. અત્યારસુધીમાં રાજયમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૮૭.૦૬ ટકા વરસાદ થયો છે.  

રાજ્યમાં હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૧,૮૪,૫૯૨, દમણગંગામાં ૧,૪૯,૧૭૧, ઉકાઇમાં ૧,૩૧,૦૬૩, સુખીમાં ૫૪,૯૭૪, કરજણમાં ૨૭,૯૮૧,  કડાણામાં ૭,૭૭૮, પાટાડુંગરીમાં ૬,૦૮૧, વેર- ૨માં ૫,૧૬૯, બલદેવામાં ૪,૯૧૯, પાનમમાં ૪,૦૭૭, ઉમરિયા ૪,૦૦૮, ઝૂઝમાં ૩,૫૧૮, પીગુટમાં ૨,૪૦૬, ડોસવાડામાં ૨,૧૦૮, કેલિયામાં ૨,૦૯૯, દેવમાં ૧,૯૭૬, ધોલીમાં ૧,૪૬૧, આજી-૩માં ૧,૧૯૪ અને વાણાકબોરીમાં ૧,૧૦૦ ક્યુસેકનો સમાવેશ થાય છે. 

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૬.૨૪ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૭.૫૨ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૬.૩૦ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૭૬ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૨૦.૦૭ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૩૮.૦૧ ટકા એટલે ૨,૧૧,૬૨૪.૪૪ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments