Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજયના ૧૬૮ તાલુકાઓમાં વરસાદ : છોટા ઉદેપુરમાં સાડા તેર ઈંચ વરસાદ

Webdunia
શુક્રવાર, 9 ઑગસ્ટ 2019 (12:14 IST)
અમદાવાદ: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ ૦૫/૦૮/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન રાજયના રાજયના ૧૭૦ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં ૨૪ તાલુકાઓમાં ચાર ઈંચથી માંડીને ૨૩ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં શ્રીકાર વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરપાડામાં ૨૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

આજે સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ વાગ્યા સુધીના ૪ કલાકના સમયગાળામાં નવસારીના વાંસદા અને ડાંગના વઘઈ તાલુકામાં ૮ ઈંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજયના ૪૯ તાલુકાઓમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેમાં વાંસદામાં ૨૦૭ મી.મી. અને વઘઈમાં ૨૦૦ મી.મી. એટલે કે ૮ ઈંચ જેટલો વરસાદ ૪ કલાકમાં વરસ્યો છે. એ ઉપરાંત આહવામાં ૯૩ મી.મી., ડોલવણમાં ૪૩ મી.મી., સુબિરમાં ૩૬ મી.મી., ગણદેવીમાં ૩૪ મી.મી. અને ક્વાંટમાં ૨૯ મી.મી. એટલે કે એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 


રાજયના ૧૭૦ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ છેલ્લાં ચોવીસ કલાકમાં વરસ્યો છે તે પૈકી ૨૪ તાલુકામાં ચાર ઈંચથી ૨૩ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરપાડામાં ૫૮૭ મી.મી., માંગરોળમાં ૪૫૧ મી.મી. એટલે કે ૧૪ ઈંચથી વધુ ડેડિયાપાડામાં ૩૧૮ મી.મી., વાલિયામાં ૨૦૩ મી.મી., સુરતના માંડવીમાં ૨૦૨ મી.મી., ક્વાંટમાં ૨૦૧ મી.મી., સુબિરમાં ૧૮૭ મી.મી., સોનગઢમાં ૧૮૫ મી.મી., ઉચ્છલમાં ૧૭૯ મી.મી., વાપીમાં ૧૫૧ મી.મી., નાંદોદમાં ૧૪૯ મી.મી., ડભોઈમાં ૧૪૭ મી.મી., નેત્રંગમાં ૧૪૩ મી.મી., વ્યારામાં ૧૩૫ મી.મી., અંકલેશ્વરમાં ૧૩૦ મી.મી., સાગબારામાં ૧૨૬ મી.મી., જાંબુઘોડામાં ૧૧૯ મી.મી., ધરમપુરમાં ૧૧૫ મી.મી., ઓલપાડમાં ૧૧૨ મી.મી., તીલકવાડા ૧૦૪ મી.મી., કામરેજમાં ૧૦૨ મી.મી. અને વઘઈમાં ૧૦૦ મી.મી. એટલે કે ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે એ ઉપરાંત અન્ય ૧૪૬ તાલુકાઓમાં ૪ ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments