Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્દ્ર સરકાર કેવડિયાને અત્યાધુનિક રેલવે સ્ટેશનની ભેટ આપશે

Webdunia
ગુરુવાર, 13 ડિસેમ્બર 2018 (12:20 IST)
સ્ટેચ્યુ ઓફ યૂનિટીથી સાડા ત્રણ કિલોમીટર દૂર નાના શહેર કેવડિયાને રેલવે સ્ટેશનની સુવિધા પૂરી પાડવામાં આવશે. સરકારી સૂત્રો મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી ડિસેમ્બરે કેવડિયા ખાતે રેલવે સ્ટેશનનો પાયો નાંખશે. સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ ઓફ યૂનિટીનું નિર્માણ ગુજરાતના નર્મદા જિલ્લામાં કરવામાં આવ્યું છે અને અહીની મુલાકાત લેવા માટે પહેલા કેવડિયા પહોંચવું પડે છે. 
સ્ટેચ્યુ ઓફ યૂનિટીના ઉદઘાટન પછી પહેલા 11 દિવસ દરમિયાન ભવ્ય સ્મારકને નિહાળવા માટે લગભગ 1.3 લાખ લોકો ઉમટ્યા હતા. ગુજરાત સરકાર આ સ્થળને પર્યટક સ્થળ તરીકે વિકસાવી રહી છે અને આ સંદર્ભમાં કેવડિયાને રેલવે સ્ટેશનની ફાળવણી સારા સમાચાર છે. યોજના તૈયાર કરનાર સૂત્રો મુજબ કેવડિયાને અત્યંત આધુનિક રેલવે સ્ટેશન ભેટ આપવામાં આવશે. જેથી સ્ટેચ્યુ ઓફ યૂનિટીની મુલાકાતે આવતા પર્યટકોને દરેક પ્રકારની સુવિધા મળી રહે. 
ગુજરાત સરકારની આ યોજના હેઠળ સ્થાનિક લોકોને રોજગારની વધારે તકો મળવાની સંભાવનાઓ વધી હતી. હાલના સમય મુજબ કેવડિયામાં આશરે 6,788 લોકો વસવાટ કરી રહ્યા છે.રેલવે મંત્રી પીયૂષ ગોયલ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી આ કાર્યક્રમાં હાજરી આપશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments