Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ, સોનિયાજી અને મનમોહનસિંહે ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભામાં હાજર રહી બાપુને અંજલી અર્પી

Webdunia
મંગળવાર, 12 માર્ચ 2019 (11:15 IST)
ઘણા ટાઈમથી ગુજરાતમાં કોંગ્રેસની હાલત કફોડી થઈ રહી છે. એક પછી એક નેતાઓ અને ધારાસભ્યોને ભાજપ કોંગ્રેસમાંથી ખેરવીને ભગવો ખેસ પહેરાવી રહ્યો છે. ત્યારે આજે મોદીના ગઢમાંજ કોંગ્રેસનો હુંકાર થવા જઈ રહ્યો છે. અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ ખાતે દાંડી યાત્રાના 89 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ઉમટ્યા છે. જેમાં સમગ્ર ગાંધી પરિવાર ઉપરાંત દેશના મોટા ગજાના નેતાઓ હાજર રહેશે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા અમદાવાદ આવી પહોંચ્યા છે. ગાંધી આશ્રમમાં પ્રાર્થનાસભા યોજી ઐતિહાસિક દિનની ઉજવણીમાં હાજરી આપવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના નેતાઓ ખાસ બસમાં ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. જ્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ વિશેષ કારમાં આશ્રમ પહોંચ્યા હતા. ગાંધી આશ્રમ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તમામનું સુતરની આંટી પહેરાવીને સ્વાગત કર્યું હતું.  ગાંધી આશ્રમ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તમામનું સુતરની આંટી પહેરાવીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સોનિયા ગાંધી, ડો. મનમોહન સિંહ, પ્રિયંકા ગાંધી વાડ્રા, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ બાપૂની તસવીરને સુત્તરના હાર પહેરાવીને અજંલી આપી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના નેતાઓ નિયત સમય કરતાં એક કલાક મોડા પહોંચ્યા હતાં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments