Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ ગાંધીના પ્રવાસ ટાણે જ રાજકોટમાં ધારાસભ્ય ઈન્દ્રનિલ વિરૂદ્ધ પોસ્ટરો લાગ્યાં

Webdunia
મંગળવાર, 26 સપ્ટેમ્બર 2017 (16:28 IST)
રાજકોટ વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું છે. એક તરફ રાહુલ ગાંધી રાજકોટના પ્રવાસે છે ત્યારે સીએમ રુપાણી સામે ચૂંટણી લડનાર કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ વિરુધ્ધ તેના જ કાર્યાલય ઓફિસ સામે પોસ્ટર લાગ્યા છે. તેમા પ્રજા તમારી રેકડી કાઢશે તેવા લખાણ લખ્યા છે. આવા પોસ્ટર ભાજપે જ માર્યા હોવાનો ઇન્દ્રનીલભાઇનો આક્ષેપ છે.

આ મુદે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, ભાજપ બેબાકળી બની ગઇ છે. ભાન ભૂલી હલકા પ્રચાર પર ઉતરી ગઇ છે. મોડી રાત્રે પોસ્ટરો મારી મીડિયા દ્વારા ખોટા પ્રચાર કરાવી રહી છે. આ રાજકીય પાર્ટીને શોભે તેવુ કૃત્ય નથી. મતદારો બધુ જ સમજે છે. સમય આવ્યે જવાબ મળી જશે.કોગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટ 69 બેઠક પરથી વિજય રુપાણી સામે લડવાના છે.

આ બેઠક પરથી વિજય રુપાણી ધારાસભ્ય છે. આ બેઠક વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે. વડાપ્રધાન પણ એક સમયે અહીંથી ધારાસભા લડી જે તે સમયે ગુજરાતના સીએમ બન્યા હતા. હવે આ બેઠક અસ્તિત્વનો જંગ બની છે. ત્યારે આ પહેલા પણ ઇન્દ્રનીલ અને રુપાણી સામ સામે પોસ્ટર યુધ્ધ ખેલાય ચૂક્યું છે.
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments