Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે મગફળી અને કપાસના પાકને નુકસાન: ખેડૂતો ચિંતામાં

Webdunia
સોમવાર, 7 ઑક્ટોબર 2019 (12:40 IST)
ગુજરાતમાં ચાલુ વર્ષે ભાદરવામાં ભારે વરસાદ પડતા રાજ્યના અનેક જિલ્લામાં વાવેતર સદંતર નિફળ રહેવાની ભીતિ વચ્ચે જગતનો તાત ચિંતિત બન્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં શુક્રવારે પડેલા ભારે વરસાદથી પાછોતર કરેલા દિવેલા, મગફળી, તલ, મકાઈનું વાવેતરણ કોવાઈ જવાની દહેશત ખેડૂતોમાં ફેલાઈ હતી. ગીર પંથકમાં ગત શુક્રવારે પડેલા ભારે વરસાદ બાદ તારાજી સર્જાઈ હતી. જેના કારણે મગફળી અને કપાસનાં પાકને ભારે નુકસાન થયું હતું. સમગ્ર સૌરાષ્ટ્રમાં ગત શુક્રવારે ભારે વરસાદ પડતા ખેડૂતોની હાલત કાફોડી બની ગઈ હતી. સતત વરસાદને પગલે મોંઘા બીયારણ, ખાતર, મોઘી ખેડને લઈ જગતનો તાત હવે પાક નિષ્ફળ જતાં ચિંતિત બન્યો હતો. જ્યારે અમરેલીના ધારી અને ગીરનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદનાં કારણે ખેતરોનું ધોવાણ થઈ ગયું હતું. જેને લઈને મગફળી અને કપાસના પાકને નુકસાન થયું છે. જેથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. બીજી તરફ ધારી ગીરમાં આવેલા સુખપુર ગામના પુલનું ધોવાણ થતાં ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યમાં સપ્ટેમ્બર માસના અંતિમ ચરણમાં આવેલા વરસાદને કારણે ખરીફ વાવેતરને ભારે નુકસાનની ચોમેરથી બૂમ ઊઠી છે. ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા ૮ હજાર હેક્ટરમાં મકાઈ અને અડદના પાકને નુકસાન થયાનું તથા નુકસાનીના સર્વેમાં હજુ એકાદ સપ્તાહનો સમય લાગવાનો હોવાનું જણાવાઈ રહ્યું છે. જ્યારે સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ ઉત્પાદનમાં સરેરાશ ૧૫થી ૨૦ ટકાનો ઘટાડો થયાનું ખેતીવાડી વિભાગ પણ સ્વીકારી રહ્યો છે. પ્રારંભિક અહેવાલ મુજબ મકાઈ અને અડદના પાકને ૮ હજાર હેક્ટરમાં વ્યાપક નુકસાન થયું છે. વિજયનગર અને પોશીના તાલુકામાં માટીની નીચે ખડકો હોવાથી સતત વરસાદને કારણે જમીનમાંથી પાણી ફૂટી ગયું છે જેને કારણે મકાઈના પાકમાં ડોડા ફૂટ્યા જ નથી આવી જ સ્થિતિ અડદના પાકમાં પણ છે કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાતા કપાસ ખાડો પડી ગયો છે તો બે હજાર હેક્ટરમાં વાવેતર કરેલ મગફળી જમીનમાં અંદર જ ઊગી ગયાની દહેશત પ્રવર્તી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments