Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું વરસાદ નવરાત્રીની છેલ્લી માઝમ રાત બગાડશે કે ખેલૈયાઓને મોજ કરાવશે?

Webdunia
સોમવાર, 7 ઑક્ટોબર 2019 (12:21 IST)
હવામાન વિભાગે આગાહી કરી હતી કે 10 ઓક્ટોબરનાં રોજ રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે. તે પહેલા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે. જ્યારે હજી બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે નવરાત્રીનાં છેલ્લા દિવસોમાં મેઘરાજા ખેલૈયાનાં રંગમાં ભંગ કરી શકે છે. રાજ્યમાં બે દિવસ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત, ડાંગ તથા તેની આસપાસનાં વિસ્તારોમાં વરસાદ ખાબકવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢનાં અનેક વિસ્તારોમાં તથા ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠામાં વરસાદી માહોલ સર્જાવવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢનાં અનેક વિસ્તારોમાં તથા ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠામાં વરસાદી માહોલ સર્જાવવાની આગાહી કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં ગઇકાલે બપોર બાદ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. કુંકાવાવમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ જ્યારે કેશોદના વાડી વિસ્તારમાં વીજળી પડવાથી એકનું મોત થયું હતું. આ સાથે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. અમરેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. નોંધનીય છે કે અમરેલી જિલ્લામાં ગઇકાલે બપોર બાદ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. કુંકાવાવમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ જ્યારે કેશોદના વાડી વિસ્તારમાં વીજળી પડવાથી એકનું મોત થયું હતું. આ સાથે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. અમરેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. રવિવારે સાંજે ભરૂચ અને અંક્લેશ્વર સહિત જિલ્લાના કેટલાંય વિસ્તારોમાં સાંજે માત્ર બે જ કલાકમાં દોઢથી પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે ભરૂચ અને અંક્લેશ્વરના ગરબા ગ્રાઉન્ડોમાં પાણી ભરાતાં આયોજકોને ગરબા રદ કરવાની ફરજ પડી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments