Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદારોને બંધારણીય અનામત મળે તો બધા કોંગ્રેસી પાટીદાર ધારાસભ્યો ભાજપમાં જોડાવા તૈયાર - લલિત વસોયા

Webdunia
સોમવાર, 9 એપ્રિલ 2018 (12:41 IST)
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના મંત્રી રામદાસ આઠવલે રવિવારે સુરતના પ્રવાસે હતા ત્યારે તેમણે પાટીદાર સમાજની બંધારણીય અનામતની માગણીને અંગે એવું નિવેદન આપ્યું હતું કે, હાર્દિક પટેલને પાટીદારો માટે અનામત જોઈતી હોય તો તેણે કેન્દ્રની એનડીએ સરકારને ટેકો આપવો જોઈએ. આઠવલેએ જણાવ્યું કે, હાર્દિક પટેલે કોંગ્રેસને સમર્થન આપીને ભૂલ કરી છે. પાટીદારોને અનામત મામલે તેણે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે વાત કરવી જોઈએ. આઠવલેએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ, ‘પાસ’ તેમજ પાટીદાર સમાજ જો એનડીએને સમર્થન કરે તો અનામત મળી શકે.

આઠવલેના આ નિવેદનના કારણે રાજકીય રીતે ખળભળાટ મચ્યો છે ત્યાં પાટીદાર સમાજના કોંગ્રેસી ધારાસભ્ય અને ‘પાસ’ના પૂર્વ સંયોજક લલિત વસોયાએ એલાન કર્યું છે કે, પાટીદાર સમાજને ભાજપ બંધારણીય અનામત આપવા તૈયાર હોય તો પોતે કોંગ્રેસ છોડીને ભાજપના આજીવન પ્રચારક તરીકે જોડાવા તૈયાર છે. વસોયાએ જણાવ્યું કે, જો ભાજપની સરકાર પાટીદારોને બંધારણીય અનામત આપવા તૈયાર થતી હોય તો, સમગ્ર પાટીદાર સમાજ અને કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપના આજીવન પ્રચારક તરીકે જોડાવા તૈયાર છે. વસોયાએ જણાવ્યું કે, પોતે સમગ્ર પાટીદાર સમાજ વતી બાહેંધરી આપવા તૈયાર છે કે બંધારણીય અનામત મળતી હોય તો આખો પાટીદાર સમાજ ભાજપના સમર્થનમાં રહેશે. જો કે વસોયાએ એમ પણ ઉમેર્યું કે ભાજપને પાટીદારોને અનામત આપવામાં રસ જ નથી. વસોયાના આ નિવેદનથી વિવાદ ઉભો થાય તેવી સંભાવના છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments