Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ બાદ સુરતમાં પણ નવજાત બાળકોના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો

Webdunia
સોમવાર, 30 ઑક્ટોબર 2017 (12:09 IST)
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં નવજાતથી લઇને 5 વર્ષની ઉંમરના 600 થી વધુ બાળકો મોતને ભેટ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. પાલિકાના જન્મ મરણ વિભાગ પાસેથી આરટીઆઈ દ્વારા માગવામાં આવેલી માહિતીથી આ ઘટસ્ફોટ થયો છે. નવી સિવિલમાં મૃત્યુ પામેલા આ બાળકોમાંથી મોટાભાગના નવજાત બાળકો છે.  

એક આરટીઆઈ એક્ટીવિસ્ટ દ્વારા પાલિકાના જન્મ મરણ વિભાગ પાસેથી સરકારી, અર્ધસરકારી અને ખાનગી હોસ્પિટલમાં 1 થી 5 વર્ષના બાળકોના મોત અંગે માહિતી માગવામાં આવી હતી, જેમાં પાલિકાએ આપેલી માહિતી મુજબ, સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે 1થી 5 વર્ષની વયના 630થી વધુ બાળકોનાં મોત થયા છે. આનાથી વધુ ચોંકાવનારી બાબત તો એ છે કે પાલિકા સંચાલિત સ્મીમેર, મસ્કતિ હોસ્પિટલમાં કેટલા બાળકોના મોત નિપજ્યા તે માહિતી પાલિકાએ આપી નથી. આરટીઆઈ હેઠળ અપાયેલી માહિતીમાં મસ્કતિ હોસ્પિટલના આંકડા નીલ હોવાનું તેમજ સ્મીમેરમાં કેટલા બાળકોનાં મોત થયા તે બાબતે કોઈ માહિતી નથી. નવી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતમાંથી સર્ગભાઓ સારવાર માટે આવે છે. તેમને આયર્નની ટેબલેટ આપવાની હોય, સગર્ભાઓને આ સમયગાળા દરમિયાન શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ વગેરે જેવી સમજ આપવાની હોય છે. સમયાંતરે ગર્ભનો ઉછેર યોગ્ય રીતે થાય છે કે કેમ તેની ચકાસણી માટે સોનોગ્રાફી કરવાની હોય છે. આ બધી જ બાબતોનું યોગ્ય ધ્યાન રાખીને બાળક શિશુમૃત્યુ દર નીચો લાવી શકાય છે. પરંતુ સિવિલમાં સર્ગભાઓનો યોગ્ય રીતે સારવાર ન મળતી હોવાથી બાળકોનો મૃત્યુદર વધે છે. ઘટનાની તપાસ માટે સરકારે તબીબી શિક્ષણ વિભાગના નાયબ નિયામક ડૉ. રાઘવ કે. દિક્ષિતની અધ્યક્ષતામાં સમિતિ રચી છે. સમિતિએ રવિવારે હૉસ્પિટલની મુલાકાત લઈને તપાસ શરૂ કરી દીધી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments