Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કુલ 21 નવજાત બાળકોના મોત,

Webdunia
સોમવાર, 30 ઑક્ટોબર 2017 (12:00 IST)
અમદાવાદમાં શનિવારના રોજ અસારવા ખાતે સ્થિત જાણિતી સિવિલ હોસ્પિટલમાં 9 નવજાત બાળકોના મોત થવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેના કારણે મોટો ઉગ્ર વિરોધ પણ થયો હતો. કોંગ્રેસ પાર્ટી દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે રવિવારના રોજ એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું જેમાં રાજ્યની ભાજપ સરકાર પર આરોપ મુકવામાં આવ્યા હતા. 

આ બાબતે હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે, બાળકોનાં મોત ગંભીર બીમારીને કારણે થયા હતા, તેમાં હોસ્પિટલની કોઈ ચૂક જવાબદાર નથી. આ ઘટના પછી ડેપ્યુટી કલેક્ટર ઓફ મેડિકલ એજ્યુકેશન આર.કે.દીક્ષીતના નેતૃત્વમાં એક કમિટીની સ્થાપના કરવામાં આવી છે.  ગુજરાત કોંગ્રેસના ઈલેક્શન ઈન-ચાર્જ અશોક ગેહલોતે આ બાબતે ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું કે, ભાજપશાસિત વધુ એક રાજ્યમાં નવજાત બાળકોનાં મોત થવાની ઘટના બની છે. ભાજપની સરકાર છે તેવા રાજ્યોમાં આ રીતે નાના બાળકોનાં મોત થાય છે, તે બાબતને પાર્ટીએ ગંભીરતાથી લેવી જોઈએ.  26થી 28 ઓક્ટોબર સુધી 3 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 18 બાળકોનાં મોત થયા હતા. શનિવારના રોજ વધુ નવ નવજાત બાળકોએ જીવ ગુમાવ્યા હતા. સરકારી નિવેદન પ્રમાણે, નવમાંથી પાંચ બાળકોને જન્મસમયે જરુર કરતાં ઘણું ઓછું વજન હોવાને કારણે સિવિલમાં લાવવામાં આવ્યા હતા.

અન્ય બાળકો પણ ગંભીર બીમારીથી પીડાતા હતા. આ બાળકોનાં માતાપિતાનો આરોપ છે કે, હોસ્પિટલની લાપરવાહીને કારણે તેમના બાળકોએ જીવ ગુમાવ્યા છે. તેમનો દાવો છે કે, તે સમયે હોસ્પિટલમાં કોઈ સીનિયર ડોક્ટર હાજર નહોતા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ રવિવારના રોજ મેડિકલ સુપ્રીટેન્ડન્ટની ઓફિસમાં જઈને હોબાળો કર્યો હતો અને રાજીનામાંની માંગ કરી હતી.

કાર્યકર્તાઓએ તોડફોડ કરવાનો પ્રયત્ન કરતાં પોલીસે લગભગ 50 જેટલાની અટકાયત કરી હતી. મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડો. પ્રભાકર આ બાબતે કહ્યું હતું કે, ચૂંટણી નજીક છે ત્યારે આ વિરોધ રાજકીય કારણોસર થઈ રહ્યા છે. હોસ્પિટલમાં રોજના એવરેજ પાંચથી છ બાળકોનાં મોત થાય છે. પણ નવનો આંકડો એવરેજ કરતાં વધારે છે અને અમે કમિટીની સ્થાપના કરી છે જે તપાસ કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Vladimir Putin: ઓફિસમાં બ્રેક દરમિયાન કરો સેક્સ, યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે પુતિનનુ ચોંકાવનારુ નિવેદન

પીએમ મોદીના જન્મદિવસ પર સીમા હૈદરે પણ કાપી કેક, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો

Atishi Marlena Net Worth: નથી ગાડી કે નથી બંગલો છતા છે કરોડપતિ દિલ્હીની સીએમ આતિશી, જાણો કેટલા શ્રીમંત છે

પીએમ નરેન્દ્ર મોદીના જનમદિવસના ભેંટની હરાજી થશે

Who is Atishi Marlena: કોણ છે આતિશી માર્લેના જેમણે અરવિંદ કેજરીવાલ પછી બનાવાયા દિલ્હીના મુખ્યમંત્રી, જાણો બધુ જ

આગળનો લેખ
Show comments