Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં વર્ષે ચાર કરોડ લોકો માત્ર ધાર્મિક સ્થળોના પ્રવાસે આવે છે.

Webdunia
બુધવાર, 4 એપ્રિલ 2018 (14:12 IST)
ઉનાળાની સાથે હવે વેકેશનની મોસમની શરૃઆત થઇ ગઇ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં ફરવા માટે આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. 2012-13ના વર્ષમાં 2.54 કરોડ પ્રવાસીઓ ગુજરાતમાં ફરવા માટે આવ્યા હતા, જે 2016-17માં વધીને 4.48 કરોડ થયો છે. ૨૦૧૨-૧૩થી ૨૦૧૬-૧૭ એમ ચાર વર્ષની સરેરાશ જોવામાં આવે તો ગુજરાતમાં ફરવા માટે આવતા પ્રવાસીઓની સંખ્યા ૪.૨૪ કરોડ છે. જોકે, ગુજરાતમાં બિઝનેસના હેતુ માટે આવતા પ્રવાસીઓનું પ્રમાણ ખૂબ જ વધારે છે.

આ પછી ધાર્મિક કારણોસર અને છેલ્લે ફરવા માટે ગુજરાત આવતા પ્રવાસીઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી જ ગુજરાતમાં ફરતા પ્રવાસીઓનું પ્રમાણ ખૂબ જ વધારે છે. ૨૦૧૨-૧૩માં આ પ્રમાણ ૧.૯૫ કરોડ હતું અને જે ૨૦૧૬-૧૭માં વધીને ૨.૭૩ કરોડ થયું છે. વિદેશથી ગુજરાતમાં આવતા પ્રવાસીઓનું પ્રમાણ હજુ પણ ખૂબ જ ઓછું છે અને તેમાં વધારો પણ સાધારણ થઇ રહ્યો છે. ૨૦૧૨-૧૩માં ૫.૧૭ લાખ અને ૨૦૧૬-૧૭માં ૯.૨૪ લાખ પ્રવાસીઓ વિદેશથી ગુજરાતમાં આવ્યા હતા. પરંતુ વિદેશથી આવતા પ્રવાસીઓમાં એનઆરઆઇને પણ આવરી લેવામાં આવતા હોય છે. આમ, વિદેશથી ગુજરાતમાં ફક્ત ફરવાના હેતુ માટે ગુજરાત આવ્યા હોય તેવા પ્રવાસીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. અમદાવાદને ગત વર્ષે હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવતા વિદેશથી ફરવા માટે આવતા પ્રવાસીઓનું પ્રમાણ વધી શકે છે તેમ પ્રવાસન્ વિભાગનું માનવું છે. જોકે, ૨૦૧૫ના વર્ષના આંકડા પર નજર કરવામાં આવે તો જે રાજ્યની સૌથી વધુ પ્રવાસીઓ મુલાકાત લેતા હોય તેમાં ગુજરાત ટોપ-૧૦માં પણ નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments