Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chhota Udepur News - નસવાડીના જંગલમાં લાગેલી આગ 3 કિલોમીટર સુધી ફેલાઈ

Webdunia
શુક્રવાર, 9 માર્ચ 2018 (12:59 IST)
છોટાઉદેપુરના નસવાડીના જંગલમાં આગ લાગી હતી. જેને હોલવવા મોડી રાત સુધી જંગલ ખાતાનો કોઈ કર્મચારી પહોંચ્યો ન હતો.નસવાડી તાલુકો ડુંગર વિસ્તાર ધરાવતો તાલુકો છે. ડુંગર વિસ્તારમાં અનેક જંગલ આવેલા છે. જેમાં નસવાડીથી 20 કિમી દૂર આવેલા રેલીયાઆંબાના જંગલમાં મોડી રાત્રે આગ લાગી હતી. જોતજોતામાં આગ વધુ ફેલાઈ ગઈ હતી. અંદાજિત 1 કિમીના એરિયામાં આગ પહોંચી હતી. સૂકા પાંદડા હોવાને કારણે આગ વધુને વધુ આગળ વધી હતી. અલગ અલગ બાજુ આગ વધુ ફેલાઈ હતી. જોકે નજીકમાં રહેણાંક વિસ્તાર ન હોય આગ ચાલુ ને ચાલુ જ રહી હતી. આ જંગલમાં મોટી સંખ્યામાં વન્ય પ્રાણીઓ રહે છે. જે આગ લાગતાની સાથે જ અન્ય સ્થળે જતા રહ્યા હતા. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પરંતુ આગને બૂઝવવા માટે નસવાડી વન વિભાગના આરએફઓ અને તેમનો સ્ટાફ દ્વારા કોઈ પગલા લેવાયા ન હતા. મોડી રાત સુધી જંગલમાં કોઈ પહોચ્યું ન હતું. આગ 3 કિમી દૂરથી જંગલ વિસ્તારમા જોઈ શકાતી હતી. છતાંય કોઈ વન કર્મી પહોંચ્યું ન હતું. નસવાડીના અન્ય જંગલમાં સતત બીજી વખત આગ લાગવાની ઘટના બની છે, જેને પગલ જંગલ વિસ્તારમાં વન કર્મીઓના પેટ્રોલિંગ પર હવે પ્રશ્નો ઉભા થયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments