Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chhota Udepur News - નસવાડીના જંગલમાં લાગેલી આગ 3 કિલોમીટર સુધી ફેલાઈ

Webdunia
શુક્રવાર, 9 માર્ચ 2018 (12:59 IST)
છોટાઉદેપુરના નસવાડીના જંગલમાં આગ લાગી હતી. જેને હોલવવા મોડી રાત સુધી જંગલ ખાતાનો કોઈ કર્મચારી પહોંચ્યો ન હતો.નસવાડી તાલુકો ડુંગર વિસ્તાર ધરાવતો તાલુકો છે. ડુંગર વિસ્તારમાં અનેક જંગલ આવેલા છે. જેમાં નસવાડીથી 20 કિમી દૂર આવેલા રેલીયાઆંબાના જંગલમાં મોડી રાત્રે આગ લાગી હતી. જોતજોતામાં આગ વધુ ફેલાઈ ગઈ હતી. અંદાજિત 1 કિમીના એરિયામાં આગ પહોંચી હતી. સૂકા પાંદડા હોવાને કારણે આગ વધુને વધુ આગળ વધી હતી. અલગ અલગ બાજુ આગ વધુ ફેલાઈ હતી. જોકે નજીકમાં રહેણાંક વિસ્તાર ન હોય આગ ચાલુ ને ચાલુ જ રહી હતી. આ જંગલમાં મોટી સંખ્યામાં વન્ય પ્રાણીઓ રહે છે. જે આગ લાગતાની સાથે જ અન્ય સ્થળે જતા રહ્યા હતા. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પરંતુ આગને બૂઝવવા માટે નસવાડી વન વિભાગના આરએફઓ અને તેમનો સ્ટાફ દ્વારા કોઈ પગલા લેવાયા ન હતા. મોડી રાત સુધી જંગલમાં કોઈ પહોચ્યું ન હતું. આગ 3 કિમી દૂરથી જંગલ વિસ્તારમા જોઈ શકાતી હતી. છતાંય કોઈ વન કર્મી પહોંચ્યું ન હતું. નસવાડીના અન્ય જંગલમાં સતત બીજી વખત આગ લાગવાની ઘટના બની છે, જેને પગલ જંગલ વિસ્તારમાં વન કર્મીઓના પેટ્રોલિંગ પર હવે પ્રશ્નો ઉભા થયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments