Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાકોર મંદિરના મેનેજર રૂપેશ શાસ્ત્રી પર સેવકોનો હૂમલો, મંદિરનો વિવાદ ચરમસીમાએ

Webdunia
શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (15:38 IST)
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના મેનેજર અને કેટલાંક સેવકો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતો વિવાદ ગુરૂવારના રોજ ઉગ્ર બની ગયો હતો. મંદિર બહાર જ થયેલા આ હુમલાથી હાજર શ્રદ્ધાળુઓ પણ ચોંકી ગયાં હતાં.  જોકે, મોડે સુધી આ બાબતે કોઇ ફરિયાદ નોંધાઈ નહતી. સુપ્રસિધ્ધ યાત્રાધામ રણછોડરાયજી મંદિરના મેનેજર રૂપેશ શાસ્ત્રી ઉપર ગુરૂવારે કેટલાક સેવકોએ મંદિર નજીક જ ગુરૂવારના રોજ હુમલો કર્યો હતો. એટલી હદે માર માર્યો હતો કે મેનેજર રૂપેશ શાસ્ત્રીને મોઢા પર ગંભીર ઇજા પહોંચી હતી.  કેટલાક સેવકોએ મેનેજરની ઓફિસને તાળાબંધી કરી દઇ તેની ચાવી લઇ જતા રહ્યા હતા.

દરમિયાન રૂપેશ શાસ્ત્રી મંદિરના દરવાજા નજીકથી પસાર થતા હતા, ત્યારે કેટલાક સેવકોએ તેમને રોકી ‘તું અમને નકલો કેમ આપતો નથી’ એમ કહી માર મારતા તેઓ લોહીલુહાણ થઇ ગયાં હતાં. આથી રૂપેશ શાસ્ત્રીને તાત્કાલિક 108માં સારવાર માટે કરમસદ હોસ્પિટલે લઇ ગયા હતા.   હું મંદિરના પરિસરમાં પ્રવેશ કરું તે પહેલા મંદિરના એક કર્મચારી અને તેના પરિવારે હુમલો કર્યો છે. મને માથામાં માર્યો છે, નાકમાં લોહી નીકળ્યું છે. દ્વેષ રાખી હુમલો કર્યો છે, આટલી સિક્યુરીટી હોવા છતાં હુમલો કર્યો છે. મારે કોઇ પોલીસ ફરિયાદ કરવી નથી. એવું મેનેજર રૂપેશ શાસ્ત્રીએ જણાવ્યું હતું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments