Webdunia - Bharat's app for daily news and videos

Install App

દલિત સામાજિક કાર્યકરના અગ્નિસ્નાન મુદ્દે સીએમ રૂપાણી રાજીનામું આપે: મેવાણી

Webdunia
શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (13:32 IST)
પાટણ કલેકટર કચેરી ખાતે દલિત અગ્રણી ભાનુભાઇ વણકરે તેમના પરિવારને સરકારના નિયમ મુજબ ફાળવાયેલી જમીનનો કબજો નહીં સોંપાતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે તેમાં સંપૂર્ણ રીતે સરકારની જવાબદારી હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામુ આપવું જોઇએ તેવી માગણી અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ કરી છે. તે સાથે અગાઉથી આત્મવિલોપન કરવામાં આવશે તેવી પાટણના વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હોવા છતા આ બનાવ બન્યો તે બદલ પાટણ જિલ્લા પોલીસ વડા અને પાટણના કલેકટરને બેદરકારી બદલ સસ્પેન્ડ કરવા પણ માગણી કરી છે. છેલ્લા ૩ વર્ષથી ગાંધીનગરના મહેસૂલ વિભાગમાં જમીન મંજૂરીની ફાઇલ પડી રહી છે પણ મંજૂરી અપાતી ન હતી.  મેવાણીએ પાટણની ઘટના બદલ સરકારી તંત્રની ઝાટકણી કાઢતા કહ્યું છે કે, દલિતોને નિયમ મુજબ ફાળવાયેલી જમીનનો વાસ્તવિક કબજો સોંપવા છેલ્લા બે વર્ષથી અમારી રજૂઆતો અને આંદોલન છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. તંત્રની બેદરકારીના કારણે ભાનુભાઈ વણકરે જમીનના એક ટુકડા માટે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. એક ગરીબ માણસ આ વ્યવસ્થામાં કઇ હદે ગૂંગળામણ અનુભવતો હોય છે તેનો આ વરવો દાખલો છે. ભાનુભાઇ એ આ પગલું ભરવું પડયું તે માટે રુપાણી સરકાર જવાબદાર છે.  મેવાણીએ વધુમાં જણાવ્યું છે કે,ગુજરાતના દલિતો આ મુદ્દે રોડ ઉપર ઉતરી આવી વિરોધ કરે અને ઉનાકાંડની જેમ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત આપે તે જરૂરી છે. પાટણ કલેકટર અને જિલ્લા પોલીસ વડાને અગાઉ જાણ હોવા છતાં ભાનુભાઈને આત્મવિલોપન કરતા રોકી શક્યા નહીં તે બદલ તેમને સસ્પેન્ડ કરી દેવા જોઇએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments