Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોટલના નોકરોને ફટકારનાર બોપલ પોલિસ સ્ટેશનાનાં ચાર કોન્સટેબલની ધરપકડ થશે, સસ્પેન્ડ કરવાનો આદેશ

Webdunia
શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (16:20 IST)
શહેરના એસજી હાઈવે ઉપર આવેલી જય દ્વારાકાધીશ હોટલ ઉપર તા. 31 જાન્યુઆરીના રોજ વહેલી પરોઢે જમવા ગયેલા બોપલના ચાર પોલીસ કોન્સટેબલને જમવાનું નહીં મળતા તેમણે હોટલના બે નોકરોને ઢોર માર માર્યો હતો. આ મામલે સરખેજ પોલીસે મોડે મોડે પોલીસ ફરિયાદ નોંધી હતી. હવે બનાવની ગંભીરતા જોતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ હરકતમાં આવી છે, તેમણે ચારેય પોલીસ કોન્સટેબલોને ફરજ મોકુફી ઉપર ઉતારી દેવાના કાગળો તૈયાર કરી દીધા છે. અગામી કલાકોમાં ફરજ મોકુફીના આદેશની બજવણી પણ થઈ જશે. સાંજ સુધી તેમને ધરપકડ પણ થઈ જશે. આ ઉપરાંત ગ્રામ્ય પોલીસે સરખેજ પોલીસને જાણ કરી છે કે નોકરને ફટકારનાર ચારેય પોલીસ કોન્સટેબલો મુકેશ ગઢવી, પ્રદ્યુમનસિંહ, સાદીક અને હરપાલસિંહને ફરજ મોકુફીનો આદેશ આપવામાં આવે ત્યારે જો સરખેજ પોલીસ તેમની ધરપકડ કરવા માગતી હોય તો તેમણે પોલીસ કોન્સટેબલોનો કબજો મેળવી તેમની ધરપકડ કરવી. બીજી તરફ આ ચારેય પોલીસ કોન્સટેબલોની સિનિયર અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં આ કોન્સટેબલોના કારસ્તાન અને ક્રુરતા સીસીટીવીમાં કેદ હોવાને કારણે તે પોતાના કૃત્યનો બચાવ કરી શકે તેમ ન્હોતા. છતાં તેમનો પક્ષ એવો હતો કે જે હોટલ માલિક છે તે તેમનો મિત્ર હોવાને કારણે તેઓ ત્યાં જમવા ગયા હતા. પરંતુ તેમના નોકર દ્વારા દુરવ્યવહાર થયો હોવાને કારણે તેમણે નોકરોને માર્યા હતા. આ પોલીસ કોન્સટેબલો કેટલાંક પોલીસ અધિકારીઓની વિશેષ સંભાળ લેતા હતા. જેને પોલીસની ભાષામાં વહિવટદાર કહેવામાં આવે છે, તેના કારણે કોન્સટેબલોએ પોતાની સત્તાનો બેફામ ઉપયોગ કર્યો હતો. તેઓ માનતા હતા કે તેઓ જેમનો વહિવટ સંભાળે છે તેવા અધિકારી તેમને બચાવી લેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments