Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે ગિરનાર અભ્યારણ્યમાં પણ સિંહદર્શન થવાની શક્યતાઓ

Webdunia
બુધવાર, 16 ઑગસ્ટ 2017 (17:34 IST)
સિંહપ્રેમીઓ માટે સારા સમાચાર આવ્યા છે. સાસણ બાદ હવે જૂનાગઢમાં સિંહ દર્શન કરી શકાશે. જૂનાગઢ ગીરનાર અભયારણ્યમાં સિંહ દર્શનની સરકારે મંજૂરી આપી છે. ચોમાસા બાદ સિંહ દર્શનની કામગીરી હાથ ધરાશે. જૂનાગઢમાં સિંહદર્શન વ્યવસ્થા ઉભી થશે પછી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતું જશે અને જૂનાગઢનો વિકાસ થશે.આ માટેની દરખાસ્ત જૂનાગઢના મેયર જીતુભાઈ હીરપરા દ્વારા વનમંત્રીને રજૂઆત કરાઈ છે.

વનમંત્રીએ વનવિભાગ મારફત દરખાસ્ત મોકલવા માટે જણાવ્યું હતું. જુનાગઢના બોરદેવી, સરખડીયા હનુમાન અને જીણાબાવાની મઢી પાસે એમ ત્રણ જગ્યાએ વ્યવસ્થા ઉભી કરવા માટે મેયર દ્વારા વનવિભાગને રજૂઆત કરવામાં આવી છે. દૂર-દૂરથી આવતા પ્રવાસીઓને સિંહ જોવા માટે સાસણ જવું પડતું. ત્યાં પણ જો ટ્રાફિક હોય તો સિંહ દર્શન થતાં નથી. જૂનાગઢ ગીરનાર અભયારણ્યમાં 40 જેટલા સિંહો છે. જેમાં 5 નર, 14 માદા અને બાકીના બાળસિંહ છે. ઉપરાંત ઝરખ, હરણ, દીપડા જેવા અન્ય પ્રાણીઓ પણ જોવા મળે તેમ છે. મેયરની દરખાસ્તના પગલે વન વિભાગ દ્વારા ગાંધીનગર ઉચ્ચ ઓફિસ ખાતે આ દરખાસ્ત મોકલી આપવામાં આવી હતી. ત્યાંથી કાર્યવાહી આગળ શરૂ થઇ ગઈ છે. મંજૂરી મળ્યાબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ વનવિભાગ દ્વારા જણાવાયું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments