Webdunia - Bharat's app for daily news and videos

Install App

Garba Guidline in Gujarat- ગરબા રમવા માટે રસીના બન્ને ડોઝ ફરજિયાત, 400ની મર્યાદા સાથે રસી પણ જરૂરી

Webdunia
બુધવાર, 6 ઑક્ટોબર 2021 (10:26 IST)
નવરાત્રીમાં ગરબામાં ભાગ લેનારે વેક્સિનના બે ડોઝ લેવાના જાહેર કરેલા હુકમને લઈ રાજ્યમાં લાખો-કરોડો ખેલૈયાઓ બે ડોઝ લીધા નહીં હોય શેરી ગરબા રમવા મુશ્કેલીમાં મુકાય એમ છે.ગુજરાત સરકારના ગૃહ વિભાગે 24મી સપ્ટેમ્બર 2021ના રોજ કોરોના સંદર્ભે એક હુકમ કર્યો હતો. આ હુકમમાં વેપાર-ધંધા સહિત અન્ય બાબતે દિશાસૂચન તો કર્યા હતા પરંતુ નવરાત્રીને લઈને પણ હુકમ કર્યો હતો. આ હુકમમાં સમગ્ર રાજ્યમાં રાત્રિના 12 વાગ્યા સુધી શેરી, ફલેટ, સોસાયટીઓમાં 400 વ્યક્તિની મર્યાદામાં ગરબાનું આયોજન કરી શકાશે એમ જણાવ્યું હતું. સાથે પાર્ટીપ્લોટ, કલબ, ખુલ્લી જગ્યા કે અન્ય કોઈપણ જગ્યાએ જ્યાં કોમર્શિયલ રીતે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય તેવા સ્થળોએ નવરાત્રીની પરવાનગી આપવામાં આવશે નહીં એમ પણ જણાવ્યું હતું. આજ હુકમમાં નવરાત્રીને લઈ એક હુકમ એ પણ થયો કે ‘ગરબા ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જોઈએ.’ રાજ્યમાં 18 વર્ષથી ઉપરના વેક્સિન પાત્રતા ધરાવતા 4.91 કરોડ લોકો છે. જેમાંથી રવિવાર સુધીમાં 1.92 કરોડે જ બે ડોઝ લીધા હતા. કદાચ બે દિવસમાં 2 કરોડ આંક થયો હોઈ શકે. સરકારના આ હુકમને ધ્યાને લઈ રાજ્યના જિલ્લાઓમાં જાહેરનામા પણ બહાર પડ્યાં છે. જેમાં આ હુકમનો ભંગ કરનારને ધ એપીડેમીક ડિસિસ એક્ટ 1897 અન્વયે ધ ગુજરાત એપીડેમીક ડિસિસ કોવિડ-19 રેગ્યુલેશન 2020ની જોગવાઈઓ તથા ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ 188 તથા ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરાશે એમ પણ જણાવ્યું છે. જેથી હુકમને કાયદેસર કરાયો છે એમ પણ કહીં શકાય.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments