Webdunia - Bharat's app for daily news and videos

Install App

ત્રિપુરા પછી ગુજરાતના મુખ્યમંત્રી વિવાદમાં, નારદ મુનીજીની સરખામણી ગુગલ સાથે

Webdunia
સોમવાર, 30 એપ્રિલ 2018 (16:15 IST)
ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવ પછી હવે ગુજરાતના માનનીય લોકલાડિલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નારદજીની સરખામણી ગુગલ સાથે કરતા કહેલ કે ગુગલની જેમ નારદમુની બધું જ જાણતા હતા. ગઈકાલે અમદાવાદ ખાતે વિશ્વ સંવાદ કેન્દ્રના ઉપક્રમે નારદ જયંતિ નિમિતે યોજાયેલ પત્રકાર સન્માન સમારોહમાં શ્રી વિજયભાઈએ નારદમુનીની તુલના ગુગલ સર્ચ એન્જીન સાથે કરતા કહેલ કે નારદજી પાસે એ સમયમાં સમગ્ર દુનિયા વિશે માહિતી રહેતી હતી.

બરાબર એ જ રીતે આજે ગૂગલ સર્ચ એન્જીન લોકોને તમામ માહિતી પુરી પાડી રહેલ છે. આરએસએસની શાખા વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા દેવર્ષિ નારદ જયંતિના અવસર ઉપર પત્રકારોને નારદ એવોર્ડ આપતા શ્રી વિજયભાઈએ આ ઉચ્ચારણો કર્યા હતા. નારદજી સૌને માહિતી આપતા હતા, તેમાં પોતાનું ઉમેરતા નહોતા. આજકાલ પોતાનાં વિચારો થોપવાનાં પ્રયત્નો થઈ રહ્યાં છે. તટસ્થતાપૂર્વક તમારા વિચારો મૂકો, સત્યતાયુકત સમાચાર આપો. પત્રકારની પ્રતિષ્ઠા મહત્ત્વની હોય છે. દરેકની કસોટી ડગલેને પગલે થતી હોય છે. પૂર્વગ્રહથી ઉપર ઊઠીને વાત મૂકવાની છે. તો જ એકાંગી નિર્ણય નહીં આવે, સર્વગ્રાહી નિર્ણય લઈ શકશો. લોકશાહીમાં મીડિયાનો મહત્ત્વનો રોલ છે. મીડિયા પોતાનું કર્તૃત્વ બરાબર સંભાળે એ જરૂરી છે એમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રવિવારે વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા દેવર્ષિ નારદ જયંતી નિમિત્તે આયોજિત 'પત્રકાર સન્માન સમારોહ' પ્રસંગે અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, પત્રકારોને આજના સમયમાં કર્મયોગી કહીશું. આજનો સમય માહિતીનો છે. નારદ માહિતીના વ્યકિત હતા. પત્રકારો પણ દુનિયાભરમાંથી માહિતી મેળવીને એ માહિતી માનવજાતનાં કલ્યાણ માટે પૂરી પાડે છે. વર્તમાન સમયમાં ગૂગલ માહિતીનો સ્રેત છે ત્યારે નારદજીને ગૂગલ સાથે પણ સરખાવી શકાય. કમનસીબે આ ઋષિઓની વાત જ સમાજ સુધી સાચી રીતે પહોંચી નથી. જેમકે, માત્ર પત્રકારત્વ જ નહીં, કોઈપણ ક્ષેત્ર હોય તેમાં રહેલા વ્યકિતએ એટલો વિચાર કરવાનો છે કે, આપણા યોગદાનથી કોઈ નુકસાન તો નથી થતું ને? આપણે માનવજાતના કલ્યાણ માટે કામ કરવાનું છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments