Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો મોરબીના સીરામીક ઉદ્યોગકારોને કોણે ૪૦૦ કરોડનો દંડ ફટકાર્યો

Webdunia
શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2019 (15:21 IST)
મોરબીનો સિરામિક ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે અને ચીનને પણ હંફાવે છે. ભારત દેશમાં વેચાતી મોટાભાગની સિરામિક પ્રોડક્ટનું મોરબીમાં ઉત્પાદન કરવામાં આવે છે. મોરબીના સિરામિક ઉદ્યોગકારોને હવે રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગકારોને રૂ.400 કરોડનો મસમોટો દંડ ફટકારમાં આવ્યો છે.
મોરબીના ઉદ્યોગકારો ટાઈલ્સ અને અન્ય સિરામિક ઉત્પાદનોનાં નિર્માણ માટે કોલ ગેસિફાયરનો ઉપયોગ કરે છે. જેનાથી હવા, પાણી અને જમીનને મોટું નુકસાન પહોંચતું હોય છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ ઉદ્યોગકારોએ જ્યારેથી કોલ ગેસીફાયર ફીટ કર્યા છે તે દિવસથી દૈનિક રૂ.5000નો દંડ ગણવામાં આવ્યો છે. 
જીપીસીબી દ્વારા આપવામાં આવેલી નોટિસ અનુસાર, દરેક ઉદ્યોગપતિને એક મહિનામાં દંડની રકમ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉદ્યોગકારોને ઓર્ડરની કોપી જીપીસીબીમાંથી મોકલાવી દેવામાં આવી. ઉદ્યોગકારોમાં એવી ચર્ચા છે કે, હાલ તેમને જીપીસીબી તરફથી જે ઓર્ડર મળ્યો છે તે વચગાળાની રકમ છે. હજુ ફાઈનલ આદેશમાં દંડની રકમમાં વધારો થાય તેવા સંકેત છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શરીરમાં ક્યાં જમા થાય છે યુરિક એસિડ, જાણો કયા સ્તરે પર પહોચતા નિયંત્રિત કરવું બની જાય છે મુશ્કેલ

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

વધુ જુઓ..

નવીનતમ

Corona : બિગ બોસ ફેમ શિલ્પા શિરોડકરનો કોરોના પોઝિટિવ, સિંગાપોર-હોંગકોંગ પછી, શું ભારતમાં પણ ફેલાઈ રહ્યુ છે સંક્રમણ ?

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

આગળનો લેખ
Show comments