Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોબાઈલ ફોને પોલ ખોલી પત્નિના ચારિત્ર્યની, ડીએનએ ટેસ્ટમાં હોશ ઉડી ગયાં

Webdunia
શુક્રવાર, 25 મે 2018 (15:13 IST)
અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો કેસ નોંધાયો છે. જેમાં એક પતિને પત્નિના ચારિત્ર્ય પર શંકા જતાં તેણે પોતાના દિકરાનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો અને પછી આખે આખી પોલ ખુલી કે તે બાળક પોતાનું નથી. આ વ્યક્તિએ હાલમાં તો પોતાની પત્નિ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પત્નીના ફોનમાં મેસેજ વાંચ્યા બાદ પતિને તેના પર શંકા પડી હતી.

પત્નીના ફોનમાં મેસેજ જોયા બાદ પતિએ તેની સાથે આ અંગે વાત કરતા બંને વચ્ચે ઝઘડા થવાના શરુ થઈ ગયા હતા. આખરે પતિએ મામલાના મૂળ સુધી પહોંચવાનું નક્કી કર્યું હતું, અને પત્નીને બીજા કોઈ પુરુષ સાથે અફેર છે તે સાબિત કરવા માટે તેણે પોતાના 12 વર્ષના દીકરાનો એક ખાનગી લેબોરેટરીમાં ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો.ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળ્યું હતું કે, તેના અને તેના દીકરાના ડીએનએ મેચ નથી થતાં, મતલબ કે દીકરાનો બાપ પોતે નહીં, પણ બીજો કોઈ છે. પત્નીની બેવફાઈનો પુરાવો હાથ લાગતા જ પતિએ તેના આધારે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેને બાળક અને પત્નીના ભવિષ્યનો વિચાર કરી ફરિયાદ ન કરવા તેને સમજાવ્યો હતો, પરંતુ પતિ એકનો બે ન થયો હતો.ઘાટલોડિયા પોલીસે આ મામલે પતિ અને પત્નીને નિવેદન નોંધાવવા માટે બોલાવ્યા છે, અને ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments