Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં ઉઘાડી લૂંટ રૂ. 28ની દૂધની થેલીના રૂ. 35 આપવા પ્રજા મજબૂર

Webdunia
શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (12:10 IST)
વડોદરાના અનેક વિસ્તારોમાં ત્રીજા દિવસ પણ પાણી ઓસર્યા નથી. જ્યાં પાણી ઉતરી રહ્યા છે ત્યાં ગંદકી જ ગંદગી જોવા મળી રહી છે. બીજી તરફ કેટલાક તકસાધુઓ હાલાકીનો ભોગ બનેલા લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને જીવજરૂરી વસ્તુઓના વધારે ભાવ વસૂલી ઉઘાડી લૂંટ કરી રહ્યા છે. વડોદરાના એક વિસ્તારમાં રૂ. 28ની દૂધની થેલીના રૂ. 35 વસૂલી ઉધાડી લૂંટ ચલાવવામાં આવી હતી. ભારે વરસાદ અને પૂર બાદ વડોદરા શહેરમાં શાકભાજીના ભાવમાં પણ ભડકો જોવા મળ્યો છે. લોકોના કહેવા શાકભાજીના ભાવમાં 30 ટકા જેટલો વધારો થયો છે. 
બીજી તરફ શાકભાજી વેચતા લોકોએ દાવો કર્યો છે કે તેમણે શાકભાજી લેવા માટે જીવના જોખમે જવું પડી રહ્યું છે. આ ઉપરાંત શાકભાજી લાવવા માટે ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડી રહ્યું છે. જેના કારણે તેઓ શાકભાજીની થોડી વધારે કિંમત વસૂલ કરી રહ્યા છે.બે દિવસ પૂરના પાણીમાં ફસાયેલા રહ્યા બાદ વડોદરામાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વતનની વાટ પકડી છે. મીડિયા સાથે વાતચીત કરતા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે બે દિવસથી ફસાયેલા રહ્યા હતા. ખાવાના પણ ઠેકાણા નથી. સૌથી મોટી મુશ્કેલી પીવાના પાણીની નડી રહી છે. બીએમસીનું જે પાણી આવી રહ્યું છે તેનો ટેસ્ટ બદલાઈ ગયો છે. આથી બીમારીના ભયને કારણે તેઓ પોતાના વતન પરત જઈ રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments