Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખેરાલુ સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને 3 બંગડી પહેરાવ્યા મામલે મહેસાણા DEOના તપાસના આદેશ

Webdunia
સોમવાર, 22 જુલાઈ 2019 (12:58 IST)
મહેસાણા જિલ્લાના ખેરાલુની સરકારી પ્રાથમિક શાળા નં-3ના ધોરણ 6ના 3 વિદ્યાર્થીઓને હોમવર્ક નહીં લઈ જતા શિક્ષક મનુભાઈ પ્રજાપતિએ બંગડી પહેરવાની સજા કરી હતી. વિચિત્ર સજાને પગલે શનિવારે તાલુકા અધિકારીએ વાલીઓ સાથે વાતચીત કરી હતી. ત્યારે આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ પણ તપાસના આદેશ આપ્યા છે. શિક્ષક વિરૂધ્ધ તપાસ કરીને એક્શન લેવામાં આવશે. ઉપરાંત તેની બદલી પણ કરવામાં આવશે.
ખેરાલુના ટીબલીવાસમાં આવેલી પ્રાથમિક શાળા નંબર 3માં લેશન કરીને નહીં આવેલા ત્રણ વિદ્યાર્થીઓને બંગડી પહેરાવાની સજા કરાતાં ખળભળાટ મચી ગયો છે. લેશન નહીં કરવાની સજામાં બંગડી પહેરાવામાં આવતાં આવા વિદ્યાર્થીઓએ શાળાએ ન જવાની હઠ કરી વાલીઓને શાળાએ જવા નનૈયો ભણ્યો હતો. જેને લઇને વાલીઓ શનિવારે શાળાએ દોડી ગયા હતા અને આચાર્યને ફરિયાદ કરી હંગામો કર્યો હતો.
આ મામલે વાલીઓએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કલ્પનાબેન ચૌધરીને ફરિયાદ કરતાં તેઓ શનિવારે શાળાએ દોડી ગયા હતા. જ્યાં મામલો શાંત પાડી વાલીઓ સાથે બેઠક યોજી હતી અને શાળામાં કોના દ્વારા શું સજા કરાઇ વગેરે બાબતે વાલીઓના નિવેદનો જાણી તપાસ આગળ વધારી છે. શાળાના સ્ટાફમાં શિક્ષકો સાથે ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓને શાળામાં લેશન ન લાવવામાં બંગડી પહેરાવાની સજા કરતા શિક્ષક બદલવા માંગ કરાઇ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ખેરાલુ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કલ્પનાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, શાળામાં લેશન બાબતે બાળકોને બંગડી પહેરાવાની સજા અંગેની વાત જાણમાં આવી છે, આ અંગે વાલીઓની રજૂઆત મળતાં શાળામાં જઇને વાલીઓ સાથે મિટિંગ કરી છે. હજુ બાળકોના નિવેદન મેળવી આગળ તપાસ કરીશું, હાલમાં તપાસ ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments