Webdunia - Bharat's app for daily news and videos

Install App

સગીરા સાથે અડપલા કરનાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો પિતરાઇ જેલ હવાલે

Webdunia
સોમવાર, 22 જુલાઈ 2019 (12:28 IST)
ભાવનગર શહેરના બોરતળાવ ખાતેની કુમુદવાડીમાં હીરાનું કારખાનું ચલાવતા અને વરતેજ ખાતે રહેતા શખ્સે બાળાને ગેલેરીમાં લઇ જઇ શારીરીક અડપલા કર્યાનો વીડિયો વાયરલ થયા બાદ બાળાના પિતાની ફરિયાદ કર્યાં બાદ આરોપીની ધરપકડ કરી પોસ્કો સહીતની કલમો હેઠળ ગુનો નોંધી કોર્ટમાં રજુ કરાતા અદાલતે તેને જેલ હવાલે કરવા હુકમ કરતા પોલીસે તેને જેલ હવાલે કર્યો હતો.
બનાવની વિગતો મુજબ શહેરના કુમુદવાડી વિસ્તારમાં હીરાનું કારખાનુ ચલાવતા અને વરતેજ ખાતે રહેતા સુરેશ શીવાભાઇ માધવાણી વિરૂદ્ધ તેના કારખાનામાં ગત તા.10/7 નાં રોજ પિતાની સાથે આવેલ બાળાને સુરેશ માધવાણી કારખાનાની બિલ્ડીંગની ગેલેરીમાં લઇ ગયો હતો અને ત્યાં તેણીના શરીર સાથે શારીરીક અડપલા કર્યા હતા. જે અંગેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ બનાવ અંગે ડી.ડીવીઝન પોલીસે પોસ્કો સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી સુરેશની ધરપડક કરી અદાલતમા રજુ કરતા અદાલતે તેને જેલ હવાલે કરવા હુકમ કરતા પોલીસે તેને જેલ હવાલે કર્યો હતો. ઉપરોકત આરોપી સુરેશ ભાવનગર પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીના મામાનો દીકરો થતો હોવાનુ જાણવા મળેલ છે.
જો કે બનાવ બાદ બાળાના પિતાની ફરિયાદ પોલીસ લેતી ન હોવાના આક્ષેપ સાથે કોળી સમાજના આગેવાન મુન્નાભાઈ ચોગઠ સહિતના આગેવાન અને સમાજના લોકો સાથેનું ટોળુ ડી.ડીવીઝન પોલીસ મથકે ઘસી ગયું હતું અને આરોપી સુરેશ શીવાભાઈ માધવાણી જીતુ વાઘાણીના સગા મામાનો દિકરો થતો હોવાનું જણાવાયું હતુ અને આરોપી સામે દુષ્કર્મની કલમો લગાડવા માંગ કરાઇ હતી.
આ અંગે ડી.ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.એમ.રાવલે કહ્યું હતું કે શહેરના કુમુદવાડી વિસ્તારમાં આવેલ સીતારામ નામના ગાળામાં હીરાનું કારખાનુ ચલાવતા અને વરતેજ ખાતે રહેતા સુરેશ શીવાભાઇ માધવાણીએ બાળા સાથે શારીરીક અડપલા કર્યાની ફરિયાદ બાદ ધરપકડ કરી પોસ્કો સહીતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આરોપીને કોર્ટમાં રજુ કરતા અદાલતના હુકમ બાદ તેને જેલ હવાલે કરાયો છે. આરોપી જીતુ વાઘાણીનો પિતરાઇ ભાઇ થતો હોવાનું લોકો કહે છે. અમારે આરોપીના સંબધ અંગે તપાસમા લાગતુ વળગતુ નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments