Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રથમ દિવસે ધો-૧૦ અને ૧રમાં 35થી 40 ટકા અને કોલેજમાં ૪૦ થી પ૦ ટકા જેટલા વિદ્યાર્થીઓએ આપી હાજરી

Webdunia
મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (10:48 IST)
રાજ્ય સરકારે તારીખ 11 જાન્યુઆરી 2021થી રાજ્યમાં આવેલા તમામ બોર્ડ સાથે જોડાયેલી શાળાઓમાં ધો.10 અને ધો.12ના વર્ગોમાં પૂન: પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના નિર્ણયને પ્રથમ દિવસે વ્યાપક પ્રતિસાદ મળ્યો છે.
 
આ સાથે રાજ્યમાં કોલેજ કક્ષાએ પોસ્ટ ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષના અભ્યાસ વર્ગો પણ શરૂ થયા છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અને રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવેએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, દસ માસના લાંબા સમયગાળા બાદ આજથી રાજ્યની તમામ શાળાઓમાં ધો.10 અને ધો.12નું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થયું છે. આ શિક્ષણ કાર્યમાં પ્રથમ દિવસે જ 35 ટકા થી 40 ટકા જેટલા વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ રીતે વર્ગખંડોમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું છે.
 
મંત્રીઓએ આ વ્યવસ્થા અંગે સંતોષ વ્યકત કર્યો છે અને અધિકારીઓને આ મુજબની વ્યવસ્થા કાયમી ધોરણે ચાલુ રહે તેવી સુચના આપી છે. તેમણે વાલીઓનો આભાર વ્યકત કર્યો અને બાકીના વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા માટે અનુરોધ પણ કર્યો છે. મંત્રીઓએ એવો વિશ્વાસ વ્યકત કર્યો છે કે આવનારા દિવસોમાં આ સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થશે.
 
ઉલ્લેખનીય છે કે, દસ માસના લાંબા સમયગાળા બાદ શરૂ થયેલા પૂન: શૈક્ષણિક કાર્યના પ્રથમ દિવસે રાજ્યના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને અધિકારીઓએ વિવિધ મથકોએ વિદ્યાર્થીઓને શાળામાં આવકાર્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments