Webdunia - Bharat's app for daily news and videos

Install App

હારેલી કોંગ્રેસ હારનું ઠીકરૂ ઈવીએમ પર ફોડે છે - જીતુ વાઘાણી

Webdunia
ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (13:48 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને તેના જાતિવાદી ઝેર ફેલાવવાની અને વોટબેંકની રાજનીતિ કરવા બદલ જનતાએ વધુ એક વખત નકારી હારનો સ્વાદ ચખાડ્યો છે તેને સ્વીકારવાને બદલે કોંગ્રેસ હારનું ઠીકરું વહીવટી તંત્ર અને ઇવીએમ ઉપર ફોડવા માગે છે, જે ખૂબ જ શરમજનક છે, તેમ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું છે. પત્રકારો સાથેની વાતચીતમાં વાઘાણીએ ભાજપને સતત છઠ્ઠી વખત વિજયી બનાવવા બદલ ગુજરાતની જનતાનો આભાર માનતા જણાવ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ વર્ષોથી જીતી શકતી નથી અને જ્યાં સત્તામાં હતી ત્યાં પણ પુન: સત્તા પ્રાપ્ત કરી શકી નથી. ચૂંટણી દરમિયાન જ હાર ભાળી ગયેલી કોંગ્રેસે ગુજરાતમાં જાતિવાદી અને જ્ઞાતિવાદનું ઝેર ફેલાવ્યું તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે નિમ્નકક્ષાના નિવેદનો કરી તેની ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ધની હલકી માનસિકતા ફરી એકવાર છતી કરી હતી. ગુજરાતમાં આ વખતે સત્તા મળશે જ એવા બણગાં ફૂંકતી કોંગ્રેસ હાર સ્વીકારવાને બદલે ઇવીએમ પર ઠીકરું ફોડવા માગે છે. ગુજરાતની જનતાએ કોંગ્રેસને સત્તા માટે ગેરલાયક ઠેરવી છે, તેમ કહી વાઘાણીએ ઉમેર્યું કે, હિમાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસે સત્તા ગુમાવી છે ત્યારે કોંગ્રેસ લાજવાને બદલે ગાજે છે. ગુજરાતમાં કોંગ્રેસે પોતાની પાર્ટીનું તમામ કામ આઉટસોર્સિંગથી કર્યું. રેલીઓ કોઇ બીજાના સહારે કાઢે, ઉમેદવારો પણ કોઇ બીજાના સહારે નક્કી થાય તેમજ જાતિ-જ્ઞાતિ વચ્ચે વેરઝેર ફેલાવી કોંગ્રેસે નિમ્ન કક્ષાના તમામ પ્રયત્નો કર્યા છતાં હારી છે એટલે કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત પોતાની અને રાહુલ ગાંધીની નિષ્ફળતા છુપાવવા માટે હારનું ઠીકરું ઇવીએમ પર ફોડી રહ્યા છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments