Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jaguar Crashes In Gujarat: જામનગરમાં જગુઆર ફાઇટરપ્લેન ક્રેશ, એક પાયલોટનું મોત

Webdunia
ગુરુવાર, 3 એપ્રિલ 2025 (00:31 IST)
jaguar fighter jet crashes
ગુજરાતના જામનગરમાં બુધવારે ભારતીય વાયુસેના(Indian Air Force)નું એક જગુઆર ફાઇટર જેટ ક્રેશ થયું. આ અકસ્માતમાં એક તાલીમાર્થી પાઇલટે પોતાનો જીવ ગુમાવ્યો. જ્યારે બીજા એકનો બચાવ થયો હતો. જામનગરના એસપીએ આ વાતની પુષ્ટિ કરી છે. ગયા મહિને પણ હરિયાણાના અંબાલા જિલ્લામાં તાલીમ દરમિયાન એક જગુઆર વિમાન ક્રેશ થયું હતું.
 
એક પાયલોટ મિસિંગ 
જામનગરના SP પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે વિમાનમાં બે પાઇલટ હતા. તેમણે જણાવ્યું હતું કે એક પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. જ્યારે બીજા તાલીમાર્થી પાયલોટનું મૃત્યુ થયું. આ પહેલા બીજા પાયલોટનો પત્તો લાગી શક્યો ન હતો.

<

Saddened to know about Indian Air Force #Jaguar fighter aircraft crashes in Jamnagar, Gujarat. One pilot is rescued as per media reports. Hoping for safety of pilot and locals. #Jamnagar #PlaneCrash pic.twitter.com/kuNKXhg8pR

— Dhanraj Nathwani (@DhanrajNathwani) April 2, 2025 >
 
અંબાલામાં જગુઆર વિમાન ક્રેશ થયું
ગયા મહિને, હરિયાણાના અંબાલા જિલ્લામાં તાલીમ દરમિયાન એક જગુઆર વિમાન ક્રેશ થયું હતું. ત્યારબાદ IAF એ કહ્યું કે પાઇલટે વિમાનને વસ્તીવાળા વિસ્તારથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. IAF એ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, અંબાલામાં નિયમિત તાલીમ ઉડાન દરમિયાન સિસ્ટમમાં ખામી સર્જાતા IAF જગુઆર વિમાન ક્રેશ થયું હતું.
 
જામનગર અકસ્માતની માહિતીની રાહ જોવાઈ રહી છે
પાઇલટે વિમાનને જમીન પરની કોઈપણ વસ્તીથી દૂર ખસેડ્યું અને સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો. IAF એ અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપ્યા છે. જામનગરમાં થયેલા અકસ્માત અંગે વધુ માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે. અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે વિમાન કેવી રીતે ક્રેશ થયું અને શું નુકસાન થયું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ

આગળનો લેખ
Show comments