Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ પક્ષના કાર્યકરોમાં કકળાય વ્યાપ્યો

Webdunia
બુધવાર, 13 માર્ચ 2019 (13:04 IST)
લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ ભાજપે છેલ્લા એક મહિનામાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોને તોડી નાખ્યા છે. કોંગ્રેસની યુવા નેતાગીરી સામે છેલ્લા એક વર્ષથી જબરજસ્ત અસંતોષ જોવા મળી રહ્યો છે. અલ્પેશ ઠાકોર દ્વારા વારંવાર ભાજપમાં જવાની ધમકી આપીને બ્લેકમેઇલીંગ કરી રહ્યું છે.
તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં વિવિધ કમિટીઓ બનાવી હતી. આ તમામ કમિટીઓમાં અલ્પેશને સ્થાન અપાયું છે આમ છતાં તે વારંવાર કોંગ્રેસ છોડવાની વાતો કરતો હોય છે, આવી સ્થિતિમાં પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે રાજ્યમાં આંદોલન કરનાર હાર્દિક પટેલને આજે કોંગ્રેસમાં સત્તાવાર રીતે લઇ લેવાયો છે, એટલું જ નહીં ખૂબ જ મહત્વની અને પ્રતિષ્ઠિત ગણાતી CWCની મીટીંગમાં પણ હાર્દિકને હાજર રહ્યો હતો.
જોકે, હાર્દિકને cwc માં હાજર રાખવા અંગે હજુ કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. આ બાબતને લઇને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સોશિયલ મીડિયા પર એક બીજાને મેસેજ મોકલ્યા છે જેમાં તેઓ લખે છે કે કોંગ્રેસની નેતાગીરી પણ ભાજપની જેમ સ્કાયલેબ નેતાને કોંગ્રેસમાં ઉતારી રહી છે.
હાર્દિક પટેલ જેવા યુવાનને કોંગ્રેસની નિતી કે સિદ્ધાંતોની પણ પણ ખબર નથી. કોંગ્રેસની વિચારધારા સાથે તેને કોઈ જ સંબંધ નથી આમ છતાં તેને કોંગ્રેસમાં લઇ લેવાયો છે જેને કારણે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો તેમને ક્યારેય સ્વીકારી શકવાના નથી. ટૂંકાગાળામાં કદાચ કોંગ્રેસને થોડો ફાયદો થઈ શકે છે પરંતુ લાંબે ગાળે હાર્દિકને લેવાથી કોંગ્રેસને ખૂબ જ મોટું નુકસાન થશે. આમ હાર્દિક પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી થયા બાદ કોંગ્રેસમાં આંતરિક કકળાટ શરૂ થઈ ગયો છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને આ કકળાટ ભારે પડે તો બહુ નવાઈ નહીં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments