Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિક પટેલે ફરીવાર આંદોલન કરવાની યોજના ઘડી

Webdunia
સોમવાર, 19 માર્ચ 2018 (12:21 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે રવિવારે ગુજરાત જનજાગૃતિ યાત્રા યોજવાની જાહેરાત કરી હતી. રાજ્યના 26 જિલ્લાઓમાં હાર્દિક ખેડૂતોના પ્રશ્નો, યુવાનોની બેરોજગારી અને પાટીદારોને અનામત મળે તે માટે લોકોને જાગૃત કરશે. મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિકે કહ્યું કે, બે મહિના પછી તે 18-18 દિવસની જનજાગૃતિ યાત્રાનો પ્રારંભ કરશે. ગુજરાત જનજાગૃતિ યાત્રાનો પ્રારંભ બે મહિના પછી થશે. જેમાં રાજ્યના 26 જિલ્લાને આવરી લેવાશે. ગુજરાત જનજાગૃતિ યાત્રા દરેક જિલ્લામાં 18 દિવસ રોકાશે.

યાત્રામાં ગામડાંના લોકોને સિસ્ટમમાં રહેલી ખામીઓ અને સરકારની ખરાબ નીતિઓ સામે લડવા એકજૂથ કરવાનો પ્રયાસ કરાશે. આ જનજાગૃતિ યાત્રા જૂનાગઢથી શરૂ થશે. હાર્દિકે વધુમાં કહ્યું કે, અમે બદલાવ નફરત અને હિંસાથી નહીં પરંતુ પ્રેમ અને કરુણાથી લાવીશું. મારી લડત સિસ્ટમમાં બદલાવ લાવવા માટેની છે. આ યાત્રાનો હેતુ લોકોમાં તેમના બંધારણીય અધિકારો અંગે જાગૃતિ લાવવાનો છે.”હાર્દિક અને PAASના સભ્યો બંધારણીય રીતે પાટીદારોને અનામત મળે તેના માટે લડત ચલાવી રહ્યા છે. આ સાથે જ ખેડૂતોની દેવા માફી અને પાકના મળતા ભાવો વધે, યુવાનોને રોજગારી મળે તે માટે પણ સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે PAASની આ યાત્રા 2019માં લોકસભાની ચૂંટણી સુધી ચાલશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child story - ચાર મિત્રો

International Family Day - 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ પર આવા સંદેશા મોકલો

મ ટ સિંહ રાશિ પરથી નામ છોકરી માટે

જો તમને ગરમીના કારણે લાલ ચકામા થઈ રહી છે, તો આ ઘરેલું ઉપાયો મદદ કરશે

Chhatrapati Sambhaji Maharaj- છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

વધુ જુઓ..

નવીનતમ

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

આગળનો લેખ
Show comments