rashifal-2026

મગફળી ભરવા ખરીદેલા 15.80 લાખના બારદાનના રોકડા કર્યાં

Webdunia
સોમવાર, 20 ઑગસ્ટ 2018 (12:29 IST)
રાજકોટના જુના યાર્ડમાં મગફળી ભરવા ખરીદાયેલા ૧૫.૫૭ કરોડના ખાલી બારદાનના જથ્થામાં લાગેલી રહસ્યમય આગમાં પણ મગનના કાળા કરતૂત સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, રાજકોટ યાર્ડમાં ગુજકોટ દ્વારા રખાયેલા બારદાનના જથ્થામાં લાગેલી આગની જાણવાજોગ એન્ટ્રીના આધારે તપાસ ચાલુ છે. જિલ્લા પોલીસવડા બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી પેઢલાના કૌભાંડની તપાસમાં ગુજકોટની રાજકોટની ઓફિસના કર્મચારીઓ, મજૂરો અને ટ્રક ડ્રાયવરોની પૂછપરછમાં યાર્ડમાં આગમાં બચી ગયેલા બારદાન બારોબાર રાજકોટના બે વેપારીને વેચી દેવાયાનો રહસ્યસ્ફોટ થયો હતો. મગન ઝાલાવાડિયાએ કૌભાંડને છુપાવવા રજીસ્ટરના પાના ફાડી નાખ્યા હતા તેમજ નવી એન્ટ્રીઓ કરાવીને રેકર્ડ સાથે ચેડાં કર્યાનું સામે આવ્યું હતું. ગોંડલના પીઆઇ વી.આર.વાણીયાએ આ મામલે બી ડિવિઝનમાં મગન ઝાલાવાડિયા સહિત ૯ સામે ગુનો નોંધ્યો છે. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, જૂના યાર્ડના પ્લેટફોર્મ પર રાખવામાં આવેલા રૂપિયા ૧૫ કરોડ ૫૭ લાખની કિંમતના ૨૪ લાખ ૬૬ હજાર ૧૫૦ બારદાનના જથ્થામાં ૧3 માર્ચના સાંજે ૭ કલાકે ભેદી આગ લાગી હતી. આગમાં રૂપિયા ૧3 કરોડ ૮૨ લાખ ૬૮ હજાર ૫૨૫ની કિંમતના ૧૯ લાખ 3૯ હજાર ૨પ૦ નંગ બારદાન ભસ્મીભૂત થઇ ગયા હતા જ્યારે બચી ગયેલા પ લાખ ૨૬ હજાર ૯૦૦ નંગ બારદાન બચી ગયા હતા એ બારદાનમાંથી મગને 3૪ હજાર ૮૦૦ બારદાન રાજકોટના સાગર ટ્રેડર્સવાળા અરવિંદભાઇ અને આશાપુરા ટ્રેડર્સવાળા મહેશ ભાનુશાળીને રૂપિયા ૧૫ લાખ ૮૦ હજારમાં વેચી દીધા હતા. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વેલેન્ટાઇન ડે સ્પેશિયલ રેસીપી Heart Shape Pancake

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments