Webdunia - Bharat's app for daily news and videos

Install App

જળસંચય અભિયાનનાં બાકી રહેલા કામો ૮મી જુન સુધીમાં પૂર્ણ કરાશે

Webdunia
શુક્રવાર, 1 જૂન 2018 (12:08 IST)
વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે સરકારે ૧લી મેથી જળસંચય અભિયાન ચાલુ કર્યું હતું. જે ૩૧મીનાં રોજ પૂર્ણ થયું હતું. અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જળસંચય અભિયાનના બાકી રહેલા કામો ૮મી જુન સુધીમાં પૂર્ણ કરાશે. રાજ્યની પ્રજાએ તળાવો ઊંડા કરવા જન ભાગીદારી સ્વરૃપે નિતારેલો પરસેવો પારસમણી પુરવાર થવાનો છે. લાખો ઘનફૂટ માટી ખોદીને ૧૧ હજાર લાખ ઘનફૂટ પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઊભી થશે. ખોદાયેલી માટી ખેતરોમાં ખાળાઓ ઉપર નાખી છે તેથી પાણી બચવાની સાથે ખેત ઉત્પાદન પણ વધશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે ૫૫૦૦ કી.મી. કેનાલોની સફાઇ કરાઇ છે. આમછતાં કેટલાક લોકો વિરોધ કરવાની માનસિકતાથી પીડાઇને ધડમાથા વગરના આક્ષેપો કરી રહ્યા છે. જળસંચયના રૃા. ૨૦૦ કરોડના કામો સામે રૃા. ૨૪૦૦ કરોડના ભ્રષ્ટાચારનાં આક્ષેપો કરે છે. જેમાં કોઇ જ તથ્ય નથી. કોંગ્રેસને સપનામાં પણ કૌભાંડો જ આવે છે. ભવિષ્યની આપણી પેઢીને દુષ્કાળનો સામનો ન કરવો પડે તેવા હેતુથી જળસંચયનું અભિયાન હાથ ધરાયું હતું. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા ખાતે સમાપન પ્રસંગે જણાવ્યું હતું કે, આગોતરા આયોજનને પરિણામે રાજ્યમાં કોઇપણ જગ્યાએ પીવાના પાણીની તંગી ઊભી થઇ નથી. રાજ્યમાં ૯૦ ટકા ઉનાળો પૂરો થવા આવ્યો છતાં આજે પણ સરકાર ઘરે ઘરે અને ખેતરો સુધી પાણી પહોંચાડી રહી છે. મહેસાણા જિલ્લો, ધરોઇ, નર્મદા, સુજલામ સુફલામ, ચેકડેમો બનાવવા સહિતના જળસંચયમાં અગ્રેસર રહ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments