Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના વાયરસની ચપેટમાં ગાય અને કુતરા પણ આવ્યા, રિસર્ચમાં થયો ખુલાસો

Webdunia
સોમવાર, 25 એપ્રિલ 2022 (11:41 IST)
શુ કોરોના વાયરસ જાનવરોમાં પણ ફેલાય શકે છે તો આનો જવાબ છે હા. છેલ્લા બે વર્ષમાં અનેક સમાચાર આવ્યા જે જાનવરોમાં કોરોના સંક્રમણ સંબંધિત હતા. પણ અનેક લોકોના મનમાં શંકા રહી છે કે શુ ખરેખર જાનવરોને પણ કોરોના 10 પોતાનો શિકાર બનાવી શકે છે. ગુજરાતમાં થયેલ એક રિસર્ચમાં જાણ હઈ છે કે આ ખતરનાક વાયરસ પશુઓને પણ સંક્રમિત કરી શકે છે.  રિસર્ચમાં ભેસ ગાય અને કૂતરાઓમાં પણ કોરોના વાયરસ જોવા મળ્યોછે.  જો કે શોધમાં એ જાણ થઈ છે કે આ સંક્રમિત જાનવરોથી મનુષ્ય સુધી આ વાયરસ પહોંચવાનો ખતરો ઓછો છે. કારણ કે પશુઓમાં વાયરસનો લોડ ઓછો છે. 
 
કામધેનુ યુનિવર્સિટી અને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના સંશોધકોએ રાજ્યના વિવિધ પ્રદેશોમાંથી ઘોડાથી લઈને ગાય અને ભેંસ સુધીના નાક અને ગુદામાર્ગમાંથી નમૂના લીધા હતા. તેમાંથી 24 ટકા પ્રાણીઓ પોઝીટીવ જોવા મળ્યા હતા અને એક કૂતરામાં ડેલ્ટા વેરિઅન્ટ હોવાનું જાણવા મળ્યું હતું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં પ્રથમ વખત આ પ્રકારનું સંશોધન કરવામાં આવ્યું છે, જેમાં એ વાત સામે આવી છે કે દૂધાળા જાનવર પણ આ વાયરસથી સંક્રમિત થઈ શકે છે. અગાઉના સંશોધનમાં એવું બહાર આવ્યું હતું કે બિલાડી, બીવર જેવા પ્રાણીઓને ચેપ લાગ્યો હતો.
 
આ રીતે થયુ રિસર્ચ 
આ સંશોધન ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યું હતું. સંશોધન ડેટા હવે ઓનલાઈન ઉપલબ્ધ છે. તેમના સંશોધન માટે, સંશોધકોએ 195 કૂતરા, 64 ગાય, 42 ઘોડા, 41 બકરા, 39 ભેંસ, 19 ઘેટાં, 6 બિલાડીઓ, 6 ઊંટ અને 1 વાંદરો સહિત 413 પ્રાણીઓના નાક અથવા ગુદાના નમૂના લીધા હતા
 
આ સ્થળોએથી લેવામાં આવ્યા હતા સેમ્પલ 
અમદાવાદ, આણંદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, કચ્છ અને મહેસાણા જિલ્લામાંથી નમૂના લેવામાં આવ્યા હતા. છેલ્લા સેમ્પલ માર્ચ 2022માં લેવામાં આવ્યા હતા. રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે નાકના સેમ્પલ કરતા ગુદામાર્ગના સેમ્પલના પરિણામ વધુ સારા હતા. 67 કૂતરા, 15 ગાય અને 13 ભેંસ સહિત કુલ 95 પશુઓ પોઝીટીવ મળી આવ્યા હતા.
 
બિલાડી  વિશે માહિતી મળવાની બાકી  
આ સંશોધનનો ઉદ્દેશ્ય પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચેના વાયરસના ફેલાવાને વધુ ઊંડાણપૂર્વક સમજવાનો હતો કારણ કે કોવિડના બીજા તરંગમાં પ્રાણીઓને ચેપ લાગ્યો હતો. સંશોધન દર્શાવે છે કે આ વાઇરસ આ પ્રાણીઓમાં માણસોની નજીક હોવાને કારણે આવ્યો હતો, પરંતુ આને વિપરીત રીતે લાગુ કરી શકાતું નથી. જો કે, બિલાડીની પ્રજાતિઓ વિશે વધુ માહિતી એકત્રિત કરવાની જરૂર છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

April Pradosh Vrat 2025 Bhog: એપ્રિલ મહિનામાં પ્રદોષ વ્રતના બીજા દિવસે ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, રહેશે ભોલેનાથની કૃપા

Kitchen Hack: તેલમાં માત્ર એક ચપટી મીઠું નાખો આ માત્ર ગંદકી જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનો ઉકેલ છે

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

Health Tips: કેલ્શિયમની કમી હાડકાને બનાવી દેશે ખોખલા, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments