Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની આજે મતગણતરી, બપોર સુધી પિક્ચર થઇ જશે સ્પષ્ટ

Webdunia
મંગળવાર, 10 નવેમ્બર 2020 (09:18 IST)
ગત 3જી નવેમ્બરે યોજાયેલી ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટેની પેટા ચૂંટણીની આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ગઇ છે. પેટા ચૂંટણીની 8 બેઠકો માટે કુલ 25 ગણતરી મથકો પર મતગણતરી કરવામાં આવી રહી છે. 7 વિધાનસભા બેઠકો માટે 2 - 2 મતગણતરી મથકો, જ્યારે લીંબડી બેઠક માટે 3 મતગણતરી મથકો રહેશે. વિધાનસભાની આઠેય બેઠક દીઠ એક મતગણતરી મથક પર બેલેટ પેપરની ગણતરી થશે. 8 વિધાનસભા માટે કુલ 97 ટેબલ પર મત ગણતરી હાથ ધરાશે.
 
દરેક મતદાન મથક પર થર્મલ સ્કેનિંગ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સથી ગણતરી થશે. ટેબલ દીઠ સોશિયલ ડિસ્ટન્સના કારણે એજન્ટને મુશ્કેલી ન પડે માટે તે માટે મોનિટર ડિસ્પ્લે મૂકાશે. દરેક મતદાન ગણતરી સેન્ટર પર મેડિકલ ટીમ ઉપલબ્ધ હશે. મતગણતરી મથકો ઉપર 320 નો સ્ટાફ ઉપસ્થિત રહેશે. 
 
ક્યાં કેટલા રાઉન્ડમાં થશે ગણતરી?
લીંબડી 42 રાઉન્ડ
ડાંગ 36 રાઉન્ડ
મોરબી 34 રાઉન્ડ
અબડાસા 30 રાઉન્ડ
ધારી 29 રાઉન્ડ
કરજણ 28 રાઉન્ડ
કપરાડા 27 રાઉન્ડ
ગઢડા 27 રાઉન્ડ
 
આ વખતે કોરોના સંક્રમણને કારણે મતદાન મથકોની સંખ્યામાં વધારો કરાયો હોવાથી ઇવીએમની સંખ્યા પણ વધી છે જેને કારણે મતગણતરીના રાઉન્ડ પણ વધારવામાં આવ્યા છે જેથી પરિણામ દોઢથી બે કલાક જેટલું વિલંબથી આવશે. ચિત્ર સ્પષ્ટ થતા બપોરે 12થી 2 વાગે તેવી પણ શક્યતા છે. આઠ બેઠકોની પેટાચૂંટણીમાં આજે બપોર સુધી મતગણતરીના રાઉન્ડ પ્રમાણે પરિણામો આવી શકે છે. ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે.
 
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.મુરલીક્રિષ્નાએ જણાવ્યું હતું  કે દર વખતે એક મથક પર 1500 મતદારોનું ધોરણ હોય છે. આ વખતે કોવિડ ગાઇડલાઇનને કારણે તે રેશીયો 1 હજાર મતદારનો કરવામાં આવ્યો છે. જેથી ઇવીએમની સંખ્યા પણ વધી છે અને તે પ્રમાણે ટેબલ અને રાઉન્ડ પણ વધુ ગોઠવવામાં આવ્યા છે. જેના કારણે મતગણતરીમાં થોડો વિલંબ થાય તેવી શક્યતા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પરણિત યુવકે 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ખાનગી ફોટા બતાવીને બ્લેકમેલ કરતો હતો

કર્ણાટકમાં ઈદ મિલાદ ઉન નબી પર હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતરી આવ્યા.

જ્યારે લોકો કહેશે કે તેઓ ઈમાનદાર છે ત્યારે જ બનીશ હુ મુખ્યમંત્રી - અરવિંદ કેજરીવાલ

યુપીમાં કલમ 163 લાગુ! 15 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર સુધી આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

આગળનો લેખ
Show comments