Webdunia - Bharat's app for daily news and videos

Install App

કયા કારણોસર ગીરના સિંહો પર આફત આવી 26 સિંહોને રેસ્ક્યુ કરવામાં આવ્યા

Webdunia
સોમવાર, 1 ઑક્ટોબર 2018 (12:18 IST)
વન વિભાગ દ્વારા અન્ય 26 સિંહોને ગીર પૂર્વ વિભાગ હેઠળ આવતા અભ્યારણ્ય વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને આ તમામ સિંહોને જામવાળા રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. વન વિભાગે એવું કહ્યું કે, 26 સિંહોને સાવચેતીના ભાગરૂપે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ઘટનાક્રમ પ્રમાણે જોઇએ તો, 12 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમિયાન કુલ 16 સિંહોનાં મોત થયા છે. 35થી વધુ સિંહોનેં દલખાણિયા રેન્જમાંથી રેસ્ક્યુ કરી અલગ-અલગ રેસ્ક્યુ સેન્ટરમાં સારવાર અને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. વન્યપ્રાણી સંરક્ષણના સંદર્ભમાં, આ આંકડો જરૂર ચિંતાજનક કહેવાય. કેમ કે, એક રેન્જમાં 16 સિંહોના મોત થાય અને બીજા 35 જેટલા સિંહોને આ જ રેન્જમાંથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવે એ ઘટના સામાન્ય તો નથી જ. અમરેલી જિલ્લાનાં ધારી તાલુકાની દલખાણીયા રેન્જમાં સાવજોનાં મોતનો સીલસીલો યથાવત રહેતાં સરકાર અને રાજયનું વનતંત્ર દોડતું થઇ ગયું છે અને ગીરનાં તમામ સાવજનું અવલોકન અને પરીક્ષણ કરવાનાં આદેશો છુટયાં બાદ ઉચ્ચ અધિકારીઓ, વેટરનરી તબીબો તેમજ સ્ટાફ તપાસમાં ગુંથાયો છે.જ્યાં 3 વેટરનરી તબીબ અને ઉચ્ચ અધિકારીની દેખરેખ હેઠળ સઘન સારવાર અપાઇ રહી છે. તેમ છતાં વધુ બે સિંહણનાં મોત નિપજતાં મૃત્યુ આંક 16 પર પહોંચી જતાં તંત્રમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. હાલ 5 સિંહણ અને 1 સિંહબાળને સારવાર આપવામાં આવી રહી છે અને હાલ તો સ્થિતિ સારી હોવાનું વનતંત્રનાં સુત્રોમાંથી જાણવા મળી રહયું છે.હાલ તો વનતંત્રની ટીમો જંગલ અને રેવન્યુ વિસ્તારમાં સતત અવલોકન તેમજ સિંહની હિલચાલ પર બાજ નજર રાખી રહી છે. એટલું જ નહીં સિંહ દ્વારા થતાં શિકારનું પણ પરીક્ષણ કરવામાં આવી રહયું છે. ગીર અને નેસ વિસ્તારનાં ખેડૂતો, માલધારીઓ અને પ્રજાનો સહયોગ મેળવી માહિતીઓ એકત્રીત કરી રહયું છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments