Webdunia - Bharat's app for daily news and videos

Install App

વલસાડની મહિલા સિંગરનું રહસ્યમય સંજોગોમાં મોત, નદી કિનારે કારમાંથી મળ્યો મૃતદેહ

Webdunia
સોમવાર, 29 ઑગસ્ટ 2022 (10:47 IST)
વલસાડ જિલ્લાના પારડીની પાર નદી નજીક ગાયક કલાકાર વૈશાલી બલસારાની શંકાસ્પદ હાલતમાં હત્યા કરેલું લાશ કારમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં ભોગ બનનારના પતિ એ ગઇ કાલે સાંજે સીટી પોલીસ મથકે પત્નીની ગુમ થયાની જાણ કરી હતી. આખરે મહિલા ના મોત અંગે અનેક રહસ્યો અકબંધ છે. જોકે પોલીસ એ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાર નદી કિનારે એક કાર ન. GJ-15-CG-4224માં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. સ્થાનિક લોકોએ અજાણી કારને ઘણા સમયથી ઉભેલી જોઈને ઘટનાની જાણ પારડી પોલીસને કરી હતી પારડી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઈને ચેક કરતા કારમાંથી શંકાસ્પદ હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. પારડી પોલીસે ચેક કરતા વલસાડની ગાયિકા વૈશાલી બલસારા હોવાનું જાણવા મળ્યું હતું. વૈશાળીના પતિએ ગત રોજ વૌશાલી ઘરેથી ગુમ થઈ હોવાની નોંધ કરવી હતી. પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં પાર નદી પાસે એક શંકાસ્પદ હાલતમાં કાર ઉભેલી જોઈને સ્થાનિક લોકોએ આજુબાજુમાં કાર માલિકની શોધખોળ હાથ ધરી હતી. કાર માલિક ન મળતા સ્થાનિક લોકોએ પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પારડી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કારમાં ચેક કરતા કારની પાછળની સીટના ફૂટરેક પાસેથી વલસાડની એક મહિલાની લાશ મળી હતી. પારડી પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. પોલીસે લાશનો કબ્જો મેળવી FSLની ટીમની મદદ મેળવી હતી. ઘટના અંગે વલસાડ LCBની ટીમને જાણ થતાં વલસાડ LCBની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.હાલ તો મહિલા ની લાશ ને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. મોત અંગે અનેક રહસ્યો અકબંધ છે, ત્યારે પોલીસ એ હાલ હત્યા કેમ થઈ મહિલા કેમ અહીંયા ગાડી લઈ આવી એ દિશામાં તપાસ હાથ ધરી છે. ત્યારે જોવું એ રહ્યું કે વલસાડની સિંગર વૈશાલી બલસારાના મોતનું પગેરું ક્યારે ઉકેલાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments