Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યાં

Webdunia
શુક્રવાર, 9 જુલાઈ 2021 (10:31 IST)
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યાં છે. કેટલાંય સમયથી ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણને પગલે તેઓ ગુજરાત આવી શક્યા ન હતાં, પરંતુ કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ અને રાજકીય હલચલ શાંત પડતાં તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. જો કે તેમની આ મુલાકાત માત્ર પારિવારિક હેતુને લઇને જ છે તેવું જણાવાઇ રહ્યું છે. આ તરફ આનંદીબેન જૂથના એક નેતા અનુસાર તેઓ અને તેમના જૂથના અન્ય નેતાઓ આ દરમિયાન એક દિવસ બેનની ઔપચારિક મુલાકાતે જશે.

આનંદીબેન રાજ્યપાલ બન્યા બાદ ગુજરાત બહાર જતાં તેમના જૂથના લોકોને હાંશિયામાં ધકેલી દેવાયાં છે, તેની રજૂઆત કરવા માટે બેનને તેઓ મળશે. આ નેતાના જણાવ્યા અનુસાર બેનના જૂથના લોકોને પક્ષમાં કે સરકારમાં હોદ્દા તો ઠીક પણ હવે તો ટીકીટો ય મળતી નથી. આ સંજોગોમાં આવતી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને તેમના વતી આનંદીબેન હાઇકમાન્ડ સમક્ષ તેમનો પક્ષ રજૂ કરે તેવી આ નેતાઓની ઇચ્છા છે. એક સમયે અમદાવાદ અને ગુજરાતના ઘણાં વિસ્તારોમાં દબદબો ભોગવતું આનંદીબેન જૂથ હાલ ઉપેક્ષાનો સામનો કરી રહ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments