Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડિઝિટલ ઈન્ડિયામાં ગુજરાત ભાજપ નિરસ, વિધાનસભાની વેબસાઇટ પર હારેલા ધારાસભ્યોનાં નામ નથી હટાવાયાં

Webdunia
મંગળવાર, 24 એપ્રિલ 2018 (11:35 IST)
એક તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી જીતવા સાંસદોને મોબાઇલ એપ,સોશિયલ મિડીયા થકી લોકો સાથે વધુમા વધુ સંપર્કમાં રહેવા સૂચના આપી છે.ડિજીટલ ઇન્ડિયાના જોરે કેન્દ્ર-રાજ્ય સરકારની કામગીરી લોકો સુધી પહોંચડવા ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત વિધાનસભાની વેબસાઇટમાં આજેય હારેલાં ધારાસભ્યોના નામ,ફોટા,પરિચય સાથેની વિગતો મોજુદ રહી છે. ભાજપ સરકાર એક બાજુ ડિજીટલાઇઝેશનના જોરે વિકાસશીલ ગુજરાત,ગતીશીલ ગુજરાતના દાવા કરી રહી છે.

સામાન્ય ખેડૂતથી માંડીને બેરોજગાર યુવાને ઓનલાઇન અરજી કરવા ફરજ પાડવામાં આવી રહી છે. ગરીબોને રેશન મેળવવામાં ય ફિંગરપ્રિન્ટ આપવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. કેશલેશ નાણાંકીય વ્યવહાર કરવા સરકાર જ લોકોને કહી રહી છે. ટેકનોક્રેટ ભાજપના રાજમાં ગુજરાત વિધાનસભાની વેબસાઇટના જ ઠેકાણાં નથી. તેરમી ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોના ફોટો,પરિચય પૂર્વ ધારાસભ્યોના પેજ પર રાખવાને બદલે મુખ્ય પેજ પર રાખવામાં આવ્યા છે. આજેય હારેલા ધારાસભ્યોના નામ,ફોટા સહિતની વિગતો વેબસાઇટ પર જોવા મળી રહી છે. જોકે,સ્પિકર સહિત કેબિનેટ મંત્રીઓના નામ બદલાયાં છે. આમ,નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાતની ભાજપ સરકારને જ રસ નથી. જોકે, ભાજપ સરકારને કરોડોના ખર્ચે રિનોવેશન કરવામાં જરુર રસ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments