Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ સિવિલમાં કોરોના બાદ MIS-C રોગથી સંક્રમિત 2 બાળકનાં મોત, 7નો બચાવ

Webdunia
સોમવાર, 31 મે 2021 (19:20 IST)
કોરોના બાદ હવે રાજ્યમાં બ્લેક ફંગસ અને બાળકોમાં હવે MIS- C( મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિંડ્રોમ) નામનો પોસ્ટ કોવિડ રોગ જોવા મળી રહ્યો છે. એક લાખે એક બાળકને અને એ પણ પશ્ચિમી દેશોમાં થતો આ રોગ હવે ગુજરાતમાં પણ પ્રવેશી ગયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે બાળકોનાં આ બીમારીથી મોત થયાં છે. તાજેતરમાં રાજકોટમાં પણ MIS- Cના 100થી વધુ કેસ નોંધાય ચૂક્યા છે.કોરોના અને મ્યુકોરમાઇકોસિસના રોગથી લોકોને થોડી રાહત મળી છે, ત્યારે બાળકોમાં જોવા મળતા MIS-C રોગથી ફફડાટ મચ્યો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઠ અને 12 વર્ષનાં બે બાળકોનાં આ રોગથી મોત થતાં માતમ છવાયો છે. આ બેમાંથી એક બાળકનું લોહીનું દબાણ ઓછું થવાની જ્યારે અન્ય બીજા બાળકનું હૃદય, મગજ અને લિવર ફેલ થવાથી મોત થયું છે. MIS- Cની બીમારી સાથે 10 બાળકો સિવિલમાં દાખલ થયાં હતાં, જેમાંથી 7ને બચાવી લેવાયા છે અને બેનાં મોત થયાં છે, જ્યારે અન્ય એક સારવાર હેઠળ છે. MIS- C રોગ એ પોસ્ટ કોવિડ રોગ છે, જે નવજાત બાળકથી લઈ 15 વર્ષના બાળકમાં થતો રોગ છે. ઓટો એન્ટિબોડી રિએક્શન રોગ કહેવામાં આવે છે. માતાના પેટમાં ઊછરતા બાળકમાં પણ આ રોગ જોવા મળ્યો છે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે રહેતી મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો અને જન્મના 12 કલાકમાં જ બાળકને તાવ આવ્યો હતો, જેથી સારવાર માટે અમારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments