Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં લૂંટ કરનાર ઉત્તરપ્રદેશની ગેંગના પાંચ શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

Webdunia
બુધવાર, 6 જાન્યુઆરી 2021 (16:50 IST)
શહેરના ઠક્કરબાપાનગર અને નિકોલ વિસ્તારમાં લૂંટ કરનાર ઉત્તરપ્રદેશની ગેંગના પાંચ શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બે આરોપીઓની ઉત્તરપ્રદેશ અને બે આરોપીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એકની અમદાવાદથી ધરપકડ કરી હતી. બે આરોપીઓને ધંધામાં અને જુગાર રમવામાં દેવુ થઈ ગયું હતું. જેના કારણે તેઓએ ઉત્તરપ્રદેશથી લૂંટ ધાડ કરતા ગુનેગારોને અમદાવાદ બોલાવી અને લૂંટને અંજામ આપ્યો હતો. પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી સુધીર ફૌજી જેણે ફાયરિંગ કર્યું હતું તે ફરાર છે. જેને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.ઠક્કરબાપાનગર અને નિકોલમાં લૂંટ થતા ક્રાઈમ બ્રાન્ચના dysp ડી.પી ચુડાસમાની આગેવાનીમાં તમામ પીઆઇ અને સ્ટાફે સીસીટીવી ફૂટેજ અને સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં એક રીક્ષા અને પલ્સર બાઈક પરથી પોલીસે માહિતી મેળવતા ત્રણ આરોપી રાજવીરસિંહ ગૌર, સત્યેન્દ્રસિંહ ગૌર અને સુકેન્દ્રસિંહ નરવરીયા (રહે. નરોડા, મૂળ ઉત્તરપ્રદેશ)ની ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી હતી જ્યારે અન્ય બે આરોપી દિપક પરિહાર અને અજય મરાઠાની મુંબઈથી ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ કરતા રાજવીરસિંહ અને સત્યેન્દ્રસિંહ અમદાવાદ નરોડામાં રહે છે. રાજવીરસિંહને અગાઉ મંડપ ડેકોરેશનના ધંધામાં દોઢ લાખનું નુકસાન અને સુકેન્દ્રસિંહને જુગાર રમવામાં ત્રણ લાખનું દેવું થઈ ગયુ હતુ. જેથી તેઓએ લૂંટ કરવાનું નક્કી કર્યું હતું.ઉત્તરપ્રદેશમાં તેમના બનેવી બુદ્ધેસિંહ પરિહારને જાણ કરતા તેમને લૂંટ અને ધાડના ગુનેગાર સુધીર ફૌજી અને લખન ચમારને હથિયાર સાથે 30 ડિસેમ્બરના રોજ અમદાવાદ મોકલ્યા હતા. રાજવીરે તેના ભાણેજ દિપક અને તેના મિત્ર અજયને મુંબઈથી બોલાવ્યા હતા. બાદમાં તેઓએ કૃષ્ણનગરમાં બાઈક ચોરી સુધીર, દિપક અને સત્યેન્દ્ર ઠક્કરબાપાનગર ગાયત્રી ટ્રેડર્સમાં રોકડા રૂપિયા હોવાની જાણ હોવાથી ત્યાં લૂંટ કરવા ગયા હતા. લૂંટમાં માત્ર 35000 જ હાથમાં આવ્યા હતા. બાદમાં તેઓએ નિકોલમાં જવેલર્સમાં લૂંટ કરવાનું નક્કી કર્યું હતું.બીજા દીવસે પાંચેય લૂંટ કરવા રીક્ષા અને અન્ય ચોરેલા બાઇકમાં ગયા હતા જ્યાં ચાર લોકો દુકાનમાં લૂંટ કરવા ગયા હતા. જ્યારે રીક્ષા દૂર રાખી અને ઉભો હતો. લૂંટ બાદ તમામ વતન જવાનું નક્કી કરી રાજવીરે બુદ્ધેસિંહ, લખન અને સુઘીરને વતન મોકલી આપ્યા હતા. જ્યારે દિપક અને અજયને મુંબઈ મોકલી આપ્યા હતાં. રાજવીરે તેની રીક્ષાની ઓળખ છુપાવવા માટે કાળું હુડ બદલી અને પીળું હુડ લગાવી દીધું હતું. ક્રાઈમ બ્રાન્ચે રોકડ રૂ. 2.90 લાખ કબ્જે કર્યા છે જ્યારે સોનાના દાગીના સુધીર લઈ ગયો હોવાથી તેની શોધખોળ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments