Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના વાયરસ સંક્રમણ મુદ્દે રાજકોટ જિલ્લા જેલમાંથી 47 કેદીઓને મુક્ત કરાયા

Webdunia
બુધવાર, 1 એપ્રિલ 2020 (14:33 IST)
કોરોના સંક્રમણને લઇને રાજકોટ જેલમાંથી આજે 47 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. ભરણપોષણના 36 કેદીઓ અને માઇનોર ગુનાના કાચા કામના 11 કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. જેલના 70થી વધુ કેદીઓએ જામીન માટે અરજી કરી હતી. અરજી લોકડાઉનના પગલે જેલ તંત્ર દ્વારા કેદીઓને તેના ઘર સુધી સરકારી વાહનમાં પહોંચાડવામાં આવ્યા હતા. સાથે જ કેદીઓને બીએપીએસના સહયોગથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાસન કીટ આપવામાં આવી હતી. ગત તા. 14 થી 20 માર્ચ, 2020 દરમિયાન નોઈડા અને દિલ્હીના કોરોના હોટ સ્પોટ એરિયામાં લોકેશન ધરાવતાં 29 જેટલા લોકો રાજકોટમાં પાછા આવ્યા છે. કમિશનર ઉદિત અગ્રવાલની સુચના મુજબ રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય સ્ટાફે રાત્રી દરમિયાન જ કામગીરી હાથ ધરી આ તમામ 29 લોકોની ઓળખ કરી લીધી છે. ઉપરાંત આ 29 પૈકી એક પણ વ્યક્તિને કોરોના વાઇરસના લક્ષણ જોવા મળ્યા નથી. વાંકાનેરમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધને કોરોના શંકાસ્પદ જણાતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. વૃદ્ધના લોહીના નમૂના લઇ પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે. પંરતુ રિપોર્ટ આવે તે પહેલા જ વૃદ્ધનું મોત નીપજ્યું છે. આજે સાંજે તેનો રિપોર્ટ આવશે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments