Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના વાયરસ સંક્રમણ મુદ્દે રાજકોટ જિલ્લા જેલમાંથી 47 કેદીઓને મુક્ત કરાયા

Webdunia
બુધવાર, 1 એપ્રિલ 2020 (14:33 IST)
કોરોના સંક્રમણને લઇને રાજકોટ જેલમાંથી આજે 47 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. ભરણપોષણના 36 કેદીઓ અને માઇનોર ગુનાના કાચા કામના 11 કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. જેલના 70થી વધુ કેદીઓએ જામીન માટે અરજી કરી હતી. અરજી લોકડાઉનના પગલે જેલ તંત્ર દ્વારા કેદીઓને તેના ઘર સુધી સરકારી વાહનમાં પહોંચાડવામાં આવ્યા હતા. સાથે જ કેદીઓને બીએપીએસના સહયોગથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાસન કીટ આપવામાં આવી હતી. ગત તા. 14 થી 20 માર્ચ, 2020 દરમિયાન નોઈડા અને દિલ્હીના કોરોના હોટ સ્પોટ એરિયામાં લોકેશન ધરાવતાં 29 જેટલા લોકો રાજકોટમાં પાછા આવ્યા છે. કમિશનર ઉદિત અગ્રવાલની સુચના મુજબ રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય સ્ટાફે રાત્રી દરમિયાન જ કામગીરી હાથ ધરી આ તમામ 29 લોકોની ઓળખ કરી લીધી છે. ઉપરાંત આ 29 પૈકી એક પણ વ્યક્તિને કોરોના વાઇરસના લક્ષણ જોવા મળ્યા નથી. વાંકાનેરમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધને કોરોના શંકાસ્પદ જણાતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. વૃદ્ધના લોહીના નમૂના લઇ પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે. પંરતુ રિપોર્ટ આવે તે પહેલા જ વૃદ્ધનું મોત નીપજ્યું છે. આજે સાંજે તેનો રિપોર્ટ આવશે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

વધુ જુઓ..

નવીનતમ

Corona : બિગ બોસ ફેમ શિલ્પા શિરોડકરનો કોરોના પોઝિટિવ, સિંગાપોર-હોંગકોંગ પછી, શું ભારતમાં પણ ફેલાઈ રહ્યુ છે સંક્રમણ ?

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

આગળનો લેખ
Show comments