Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત કોંગ્રેસે ૨૦૧૮-૧૯ના ગુજરાતના બજેટને દૂરંદેશી વિનાનું ગણાવ્યું

Webdunia
બુધવાર, 21 ફેબ્રુઆરી 2018 (13:19 IST)
ગુજરાત સરકાર દ્વારા આજે રજૂ કરાયેલા વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટને ગુજરાત કોંગ્રેસે આભાસી આંકડા સાથે હથેળીમાં ચાંદ દેખાખડતું અને દૂરંદેશી વિનાનું ગણાવ્યું છે. આ સાથે કોંગ્રેસે ઉમેર્યું છે કે ગુજરાત સરકારનું આ બજેટ ગુજરાતના નાગરિકોને રાહત આપનારું નહીં પણ માત્ર ગુજરાત સરકારની જાહેરાતો માટેનું અંદાજપત્ર છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 'ભાજપ સરકારનું બજેટ ચીલાચાલુ અને ખાનાપૂર્તિ કરતું બજેટ છે.

ખેડૂતોને બમણા ભાવ આપવાનો ભાજપ દાવો કરી રહ્યો હતો તેનો આ બજેટમાં ઉલ્લેખ જ નથી. હેપ્પીનેસ ઇન્ડેક્સ કે ઇઝ ઓફ લાઇફ ક્યાંય દેખાતું નથી. લોન અને વ્યાજની ચૂકવણી રૃ. ૪૭ હજાર કરોડની છે અને વ્યાજની ચૂકવણી માટે નવું દેવું લેવાની ફરજ પડી રહી છે. ભાજપે ગુજરાતને આર્થિક દેવાદાર રાજ્ય બનાવી દીધું છે. આદિવાસી માટેની વનબંધુ યોજના સહિત અનેક યોજનાઓ પેન્ડિંગ છે. ૩ લાખ હેક્ટરને સિંચાઇનું પાણી મળી રહ્યું નથી. કેનાલો માટે જે માતબર રકમ બતાવી છે એ જ દર્શાવે છે કે કામ કેવા છે. મોંઘવારી ઘટાડવા પણ કોઇ પગલા લેવાયા નથી. પેટ્રોલ-ડિઝલમાં વેટ ઘટાડવાની કોઇ વાત નથી. ' બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, 'શિક્ષણ અંગેની વિવિધ જોગવાઇ સામે બાળકોને વિજ્ઞાાનપોથી, વાઇફાઇ, ડિજીટલ ક્લાસ રૃમ સહિતની વાતો સામેહકીકતમાં વિજ્ઞાાન-ગણિતના શિક્ષકોની મોટાપાયે ખાલી જગ્યા ભરવી વધુ જરૃરી છે. યુવાનોને રોજગારીની એપ્રેન્ટિસ યોજના હકીકતમાં ગુજરાતમાં એપ્રેન્ટીસશીપ કાયદાનો અમલ જ કરવામાં આવતો નથી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments