Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપે કાલ્પનિક સપનાઓનું વેચાણ કરી વાયદાનો વેપાર કર્યો - પરેશ ધાનાણી

Webdunia
બુધવાર, 21 ફેબ્રુઆરી 2018 (13:17 IST)
ગુજરાતની જનતા પર સતત વેરાનું ભારણ વધારનારી ભાજપ સરકારે કાલ્પનિક સપનાઓનું વેચાણ કરી વાયદાઓનો વેપાર જ કર્યો છે. ૨૨ વર્ષના શાસન પછી ભાજપ સરકાર કાલ્પનિક વિકાસનો ભ્રમ ઊભો કરવામાં સફળ થઇ છે પરંતુ વિકાસને જમીન પર ઉતારી શકી નથી તેવા નિવેદન સાથે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપના ૨૦૧૮-૧૯ના ગુજરાતના બજેટની આકરા શબ્દોમાં ટીકા કરી છે. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, 'ભાજપ સરકાર પ્રજાની તિજોરી ઉપર તરાપ મારતા ઉત્સવો, મેળાવડાઓ, તાયફાઓમાં સરકારી નાણા વેડફે છે પરંતુ પ્રજા પરના વેરાનું ભારણ ઘટાડી શકી નથી. વર્ષ પરંપરાગત વેરાનું ભારણ વધાર્યા પછી પણ સામાન્ય માણસની સમસ્યાઓને હલ કરી શકાઇ નથી.

ગુજરાતની સામાન્ય પ્રજાની એકપણ સમસ્યાનો ઉકેલ આ બજેટમાં ક્યાંયપણ દેખાતો નથી. ' આજે બજેટ સત્રના બીજા દિવસથી પત્રકાર આલમમાં નારાજગી ફેલાયેલી જોવા મળી હતી. આ અંગે પરેશ ધાનાણીએ જણાવ્યું કે, '૧૯૬૦થી લઇને ગુજરાતના સંસદીય ઈતિહાસમાં આજનો દિવસ એ કાળી ઘટના છે. મીડિયાને વિધાનસભાની કાર્યવાહીનો બહિષ્કાર કરવો પડે તેવી આ પ્રથમ ઘટના છે. ગૃહમાં અગાઉ પત્રકારોને કેમેરા સાથે પ્રવેશ અપાતો. પરંતુ હવે ભાજપે મીડિયાને ગળે ટૂંપો દેતા કેમેરા તો દૂર બજેટનું જીવંત પ્રસારણ પણ બંધ કરાવ્યું છે. હકીકતમાં વિધાનસભા ગૃહની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થવું જોઇએ.'

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments