Webdunia - Bharat's app for daily news and videos

Install App

છોટા શકિલનો શાર્પ શૂટર કોરોના પોઝિટીવઃ ATS, ક્રાઈમ બ્રાન્ચના 40 કર્મીઓએ ક્વોરન્ટીન થવું પડશે

Webdunia
ગુરુવાર, 20 ઑગસ્ટ 2020 (12:26 IST)
મંગળવારની મધરાતે ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રીલિફ રોડ પરની વિનસ હોટલમાં ઓપરેશન શાર્પશૂટર પાર પાડ્યું હતું. જેમાં ઈરફાન ઈલિયાસ શેખ નામના એક શાર્પશૂટરને ઝડપી પાડવામાં પોલીસને સફળતા હાથ લાગી હતી. તેનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. તેને સોલા સિવિલ ખસેડવામાં આવ્યો છે. શાર્પશૂટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે ATS, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કારંજ પોલીસના 40 પોલીસકર્મીઓએ ક્વોરન્ટીન થવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. શૂટરને ATS ખાતે લાવવામાં આવ્યો હતો. જે બાદ તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. ત્યારે ઇરફાનનો કોરોના રિપોર્ટ કઢાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ બાદ ધરપકડ કરવા ગયેલe DIG સહિતની ટીમ કવોરન્ટીન થશે તથા જરૂર જણાશે તો રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવશે. આરોપીને સારવાર માટે સોલા સિવિલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. જેથી હવે આરોપી સાજો થયા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગોરધન ઝડફિયાના નામ અને ફોટો મળી આવ્યા હતા. હેન્ડલર દ્વારા તેને આ ફોટો મોકલવામાં આવ્યો હતો. બીજો શાર્પશૂટર આવવાનો હતો તેવી વાતચીત વોટ્સએપ ચેટમાં મળી આવી હતી. ATS લાવી પૂછપરછ કરતા તેનું નામ ઈરફાન ઈલિયાસ શેખ હોવાનું કહ્યું હતું. પૂછપરછ દરમિયાન અન્ય આરોપી કોણ હતો તે અંગે પૂછપરછ ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments