Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં આઠ નવા મંત્રીઓનો સમાવેશ કરાશે, કર્ણાટક ચૂંટણી પછી વિસ્તરણની શક્યતાઓ

Webdunia
બુધવાર, 12 એપ્રિલ 2023 (13:32 IST)
કર્ણાટકની વિધાનસભા ચૂંટણી બાદ ગમે ત્યારે CM ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરે એવી શક્યતા છે. સૂત્રો મારફત પ્રાપ્ત વિગત અનુસાર, હાઇ કમાન્ડે આ માટે ગુજરાત સરકારને આદેશ આપી દીધો છે. મુખ્યમંત્રીના વર્તમાન મંત્રીમંડળમાં વધુ 8 નવા મંત્રી ઉમેરાઈ શકે છે, જોકે હાલના મંત્રીઓમાંથી કોને પડતા મુકાશે એ અંગે સ્પષ્ટતા નથી.ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી મુખ્યમંત્રીએ પોતાના મંત્રીમંડળમાં માત્ર 16 મંત્રીને સરકારમાં સમાવ્યા હતા. 156 ધારાસભ્યમાંથી માત્ર 17 સભ્ય ધરાવતા નાના કદના મંત્રીમંડળને કારણે ભાજપના બાકીના ધારાસભ્યોમાં નારાજગી ઊભી થઈ હતી.હવે અન્ય ધારાસભ્યોને પણ મંત્રીમંડળમાં તક આપીને આ નારાજગી ખાળવાનો પ્રયત્ન ભાજપ સરકાર કરશે. નવા મંત્રીઓ પૈકી એક મહિલા ધારાસભ્ય પણ હશે તથા હાલના મંત્રીમંડળના પ્રતિનિધિત્વ ન ધરાવતા જિલ્લાના ધારાસભ્યોને પણ મોકો મળશે. છેલ્લા કેટલાય સમયથી મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ સંગઠન કક્ષાએથી સરકારના બોર્ડ અને નિગમોમાં નિમણૂકો માટેનો તખતો ઘડાયો હોવા છતાં હુકમો થયા નથી, પરંતુ નવા મંત્રીમંડળની શપથવિધિ સાથે

આ કામ પણ ઉકેલાઈ જશે.ગુજરાતના મંત્રીમંડળમાં મહત્તમ 27 સભ્ય હોઈ શકે છે. હાલ મુખ્યમંત્રી ઉપરાંત 16 મંત્રી સહિત 17 સભ્ય હોવાથી વધુ 10 સભ્યનો સમાવેશ કરી શકાય છે. હજુ પણ 15 જિલ્લા એવા છે, જ્યાંથી ચૂંટાયેલા ધારાસભ્યોને મંત્રીમંડળમાં કે અન્ય સરકારી હોદ્દા પર નિયુક્ત કરાયા નથી. જો 8 નવા મંત્રી આવે તો પણ 7 જિલ્લા પ્રતિનિધિત્વ વગરના રહી જાય. આ સંજોગોમાં ધારાસભ્યો પક્ષના સંગઠન અને સરકાર પર મુખ્યમંત્રીના સંસદીય સચિવપદે નિયુક્તિઓ કરવા માટે દબાણ સર્જી રહ્યા છે. સંસદીય સચિવનો હોદ્દો રાજ્યકક્ષાના મંત્રીથી એક પાયરી નીચો હોય છે, પરંતુ તેમને સુવિધાઓ અને પગારભથ્થા લગભગ સમકક્ષ મળે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments