Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધોરણ 10-12 ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને કોર્ષમાં રાહત નહી

Webdunia
શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (19:03 IST)
હાલ કોરોનાની પરિસ્થિતિને જોતા CBSE બોર્ડે 30 ટકા કોર્ષ ઘટાડયો છે, પરંતુ CBSE બોર્ડની સ્કૂલો અન્ય દેશોમાં પણ આવેલી છે. જેથી અન્ય દેશોની સ્થિતિને લઈને પણ કોર્ષ ઘટાડયો છે, પરંતુ ગુજરાત બોર્ડની સ્કૂલો ગુજરાતમાં આવેલી છે અને ગુજરાતમાં રાબેતા મુજબ સ્કૂલો ચાલુ થઈ છે. પૂરો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને વિદ્યાર્થીઓ પણ સ્કૂલે જઈ રહ્યા છે જેથી કોર્ષ ઘટાડવાનો કોઈ પ્રશ્ન નથી. વિદ્યાર્થીઓએ 100 ટકા અભ્યાસક્રમ સાથે જ પરીક્ષા આપવાની રહેશે.
 
ઉલ્લેખનીય છે કે સરકારે આ અંગેઅગાઉ જાહેરાત કરી જ હતી કે કોર્ષ નહીં ઘટે. અત્યારે સ્કૂલો સંપૂર્ણ ચાલી રહી છે, તો કોર્ષ શા માટે ઘટાડવામાં આવે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પણ સંપૂર્ણ અભ્યાસક્રમ સાથે જ લેવામાં આવશે. સ્કૂલમાં પ્રથમ પરીક્ષા પુરા અભ્યાસક્રમ પ્રમાણે લેવામાં આવી છે. કોર્ષ ઘટાડા અંગે કોઈ ચર્ચા વિચારણા થઈ નથી અને કરવામાં પણ નહીં આવે.
 
મોટેભાગે એવુ માનવામાં આવે છે કે ગુજરાત બોર્ડ CBSE બોર્ડને અનુસરીને જ નિર્ણય છે. તેથી  જ્યારે CBSE બોર્ડે વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષમાં 30 ટકા કોર્ષ ઘટાડયો હતો.તો ગુજરાત બોર્ડના 10 અને 12ના વિદ્યાર્થીઓને અને વાલીઓને એવુ હતુ કે  ગુજરાત બોર્ડમાં પણ કોર્ષ ઘટાડો થશે.  પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત બોર્ડમાં 30 ટકા કોર્ષ નહીં ઘટે, વિદ્યાર્થીઓએ 100 ટકા કોર્ષનાં અભ્યાસ સાથે જ પરીક્ષા આપવાની રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

Contrast Saree Blouse: Yellow સાડી સાથે આ રંગોના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગશે, તમે પણ આ આઈડિયા લઈ શકો છો

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments