Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના કાળમાં લોકડાઉન બાદ ફરીવાર શરૂ થયેલી BRTSની રોજની આવક 9 લાખ અને AMTSની 15 લાખ થઈ

Webdunia
શનિવાર, 9 જાન્યુઆરી 2021 (10:25 IST)
કોરોનાના કેસોમાં વધારો થતાં માર્ચ મહિનાથી સમગ્ર દેશમાં લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું.ગુજરાતમાં પણ લૉકડાઉનનો કડક અમલ કરવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદ શહેરમાં માર્ચ મહિનાથી બંધ BRTS અને AMTS બસની સેવા છેલ્લા ત્રણ મહિનાથી ફરીવાર શરૂ કરવામાં આવી છે. જેમાં બંને બસ સેવાઓની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

 AMTSની રોજિંદી આવક 15 લાખ અને BRTSની રોજની આવકમાં 9 લાખ 50 હજાર રૂપિયા થઈ છે. શહેરમાં કોરોનાના કેસોને નિયંત્રણમાં લેવા માટે રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આજથી AMTS અને BRTSના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરમાં આ બંને બસ સેવાઓ હવે સવારના સાત વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. સપ્ટેમ્બરમાં શરૂ થયેલી આ બંને બસ સેવાઓની આવક ચાર લાખ રૂપિયાથી શરૂ થઈ હતી અને હવે ત્રણ મહિના બાદ તેમાં વધારો જોવા મળ્યો છે. જેથી હવે બસોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

આજે શહેરમાં AMTSની 650 બસો શહેરના માર્ગો પર ફરી રહી છે. જેની આવક પણ ચાર લાખથી વધીને હવે 15 લાખ સુધી પહોંચી ગઈ છે. જ્યારે BRTS બસની આવક સાત લાખ રૂપિયા હતી તે વધીને રોજની આવક 9 લાખ 50 હજાર રૂપિયા થઈ ગઈ છે. હાલમાં શહેરમાં BRTSની 220 જેટલી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments