Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપના વોર્ડ પ્રમુખે કાર્યકરોનું ટોળુ ભેગુ કરી જન્મદિવસની ઉજવણી કરી

Webdunia
બુધવાર, 13 મે 2020 (13:17 IST)
થોડા દિવસ પહેલાં રાજકોટમાં કોંગ્રેસના એક કોર્પોરેટરે લોકોને મફતમા ડુંગળી આપીને સેવાનો લાભ લેતાં આખરે પોલીસે તેમની ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રાખવાના આરોપ હેઠળ અટકાયત કરી હતી અને ત્યારબાદ રાજકારણ ગરમાયું હતું અને સવાલો ઉભા થયાં હતાં કે આ બધું ભાજપના ઈશારે થઈ રહ્યું છે. ત્યારે હવે વડોદરામાં ભાજપના વોર્ડ નં-7ના પ્રમુખે લોકડાઉનના લીરેલીરા ઉડાવ્યા છે. વડોદરા શહેરની તુલસીવાડીમાં ભાજપના વોર્ડ પ્રમુખ અનિલ પરમારે કાર્યકરોના ટોળા ભેગા કરીને મ્યુઝિક સિસ્ટમના તાલે જન્મદિવસની ઉજવણી કરી હતી. અનિલ પરમારના જન્મદિવસની ઉજવણીમાં કેક પટિંગ સમયે મોટી સંખ્યા ભાજપના કાર્યકરો ભેગા થયા હતા.કોરોના વાઈરસની મહામારી વચ્ચે રેડ ઝોન નાગરવાડા પાસે આવેલી તુલસીવાડીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થયો હતો. ભાજપના વોર્ડ પ્રમુખ અનિલ પરમારે તુલસીવાડીમાં પોતાના ઘરની બહાર રસ્તા ઉપર જ જન્મદિવસની ઉજવણ કરી હતી અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા હતા. હવે અહીં ચર્ચાઓએ જોર પકડ્યું છે કે કાયદો ભાજપના કાર્યકરોને ક્યારેય નડતો નથી?
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments